SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫ પુષ્કળ પ્રમાણમાં સાથે લીધાં હતાં. શહેરમાંથી સાગરકાંઠે આવ્યા પછી તા ઊલટાના તેમના ઉન્માદ વધ્યા. બ્રાહ્મણેાને માટે રાંધેલ અન્ન તેમણે સુરાની સાથે મિલાવીને વાનરેશને આપવા માંડયુ...! (વાંદરાને દારૂ પાવાની કહેવત આવા જ કાઈ પ્રસંગ પરથી ચાલુ થઈ હશે !) પછી સુરાપાનથી ઉન્મત્ત થઈને સૌએ ત્યાં આગળ સૂર્ય-રાતાજીને નટ—નર્ત—સંમ્ મહાપાનમ્ શરૂ કર્યું. સંગીત સાથે નટા અને ન કાએ એક જગ્યાએ જલસે જ જમાવી દીધા ( Carnival), આજના શબ્દો વાપરીએ તે પવિત્ર Pilrgimageને તેમણે એક wild Carnivalમાં પલટી નાખી. ‘યાત્રાળુ’ અને ‘ટૂરિસ્ટ' વચ્ચેની ભેદરેખા આદિકાળથી જ પાતળી હશે, કદાચ ! અને તેની સામે ચેતવણી ઉચ્ચારવા માટે જ તીર્થસ્થઢે તં પાપં વગ્રહેવું મવિષ્યતિ । જેવા શબ્દો લખાયા હશે. જે હેા તે; પણ એક કૃષ્ણ સિવાય સૌએ તે દિવસે દારૂ ઢીંચ્યા અને સૌ નાચગાનમાં ગુલતાન થયાઃ બલરામ, બ, સાત્યકિ, કૃતવર્મા સૌ... યાદવાને ખાનપાનના ભાગાત્મક સરંજામ સાથે ( તીર્થયાત્રાના ઉદ્દેશથી નહિ !) પ્રભાસમાં ભેગા થયેલા જોઈને યોવિદ્ અને અર્થવિરત ઉદ્દવ તેમની રજા લઈને ત્યાંથી ચાલ્યા ગયા. જતા પહેલાં કૃષ્ણને એક છેલ્લી વાર મળી લેવા તે આવ્યે કૃષ્ણે એના મનાભાવને બરાબર જાણતા હતા; પણ વૃષ્ણીઓના આત્મનેાતă વિનાશ હવે હાથવેંતમાં જ છે, એમ સમજીને તેમણે એને રાકવાના પ્રયત્ન સરખા પણુ ન કર્યાં; અને યાદવાએ એ તેજસ્વી પુરુષને પાતા વચ્ચેથી નીકળીને દૂર દૂર જતા જોયા ! : અને પછી તરત જ પારસ્પરિક સંહારની શરૂઆત થઈ, પણ તે કેવી રીતે ? એનાં ખીજો પણ મહાભારતના યુદ્ધમાં જ હતાં, જાણે! જેમ મહાભારત–યુદ્ધનાં ખીજો હસ્તિનપુરની ઘનસભામાં હતાં... જેમ વ્રતસભાનાં ખીજો રાજસૂયમાં હતાં. જેમ રાજયનાં ખીજો લાક્ષાગૃહમાં હતાં.... જેમ લાક્ષાગૃહનાં બીજો ધૃતરાષ્ટ્રની અંધતામાં હતાં... અનાદિ-અનત લાગે છે, કાર્યકારણની આ સદસત્—શૃંખલા ! * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat * www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy