SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ અને પ્રકૃતિની પ્રકૃતિ જ જાણે સંચાડી બદલાઈ ગઈ હતી... અને વૃષ્ણીઓએ નિર્લજ્જ થઈને પાપકર્મી કરવા માંડત્યાં. બ્રાહ્મણા, પિતૃ, દેવા, એટલે કે શાસ્ત્ર, પરંપરા કે ધર્માં – કશાની આમન્યા રહી નહિ. વડીલાની ઉપેક્ષાતા કચારનીયે થવા માંડી હતી! પતિએ અને પત્નીએ પરસ્પરને છેતરતાં હતાં. રસેાઈમાં હજારા કીડાએ દેખાવા લાગ્યા, ભયભીત યાદવાને ! અને કૃષ્ણને ગાંધારીએ આપેલ શાપ યાદ આવ્યા. સે। પુત્રોના નાશના શાક વ્યાકુળ બનેલી તે નારીએ કળકળતે કાળજે જે શબ્દા ઉચ્ચાર્યા હતા; તે આજે જાણે સાચા પડી રહ્યા હતા એમ તેમને લાગ્યું... એક સાથે એ આદેશા દ્વારકાના રાજત ત્રે આ વખતે બહાર પાડયા— ફાટેલા આભને સાંધવા અર્થે ! એક, કાઈએ દારૂ ન ગાળવા; ન પીવેા; ગાળે કે પીએ તેને શૂળીની સજા ! ખીજું, અત્યાર લગીમાં કરેલ પાપના પ્રક્ષાલન–પશ્ચાત્તાપ અર્થે સૌએ સામુદાયિક યાત્રા કરવી—પ્રભાસતીર્થ સમુદ્રતટ પર જઈને સ્નાન કરવું, પેલા મુસલના તેા (જે દ્વારા યાદવકુળના વિનાશની આગાહી ઋષિઓએ ભાખી હતી) રાજા આહુકના આદેશથી બારીક ભુક્કો કરી નાખવામાં આવ્યેા હતા, અને એ ભુક્કાને પણ સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યા હતા. નાસ્તિ મૂરું હુતઃ રાાલા—તેમની ગણતરી હતી. મુસલ તેમના નાશ કરશે એવા શાપ હતા ને? પણ મુસલનું જ કાસળ કાઢી નાખીએ તે ? કેમ જાણે શરીરના અણુએ અણુમાં પ્રસરેલ રાગને એમ ને એમ રહેવા દઈને, ફક્ત એનાં બાહ્ય ચિહ્નોને જ દાખી દીધાથી ખાવાયલું સ્વાસ્થ્ય પાછું ન આવી જવાનું હાય ! ૨૯૮. તીર્થક્ષેત્રે તં પાપમ્ દ્વારકાવાસીએ બધા પોતપોતાના પરિવારેાને લઈને પ્રભાસના સાગરતટે ગયા. કૃષ્ણે તેા તીર્થયાત્રાની ભાવનાથી જવાનું કહ્યું હતું, પણ યાદવેા તા મેાજ કરવાની ભાવનાથી નીકળ્યા હતા ! • તીર્થ 'ને પણ ‘અ—તીર્થ' બનાવવાની કળા હવે તેમને આવડી ગઈ હતી. ‘ ભેાજ્ય’, ‘ભક્ષ્ય’ અને ‘પેય’–ખાનપાન અને નાચગાનનાં બધાં જ સાધના તેમણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy