SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે તેમના વિનાશ અથે તેણે લેનિનની આગેવાની નીચે રશિયામાં એક મહાદારુણ શક્તિ ઉપસ્થિત કરી આપી. ઈતિહાસે જ્યારે બ્રિટનના સામ્રાજ્યને વધપાત્ર ઠરાવ્યું ત્યારે તેના વિનાશ અથે એક તરફ ગાંધી જેવા અર્જુનને અને બીજી તરફ હિટલર જેવા અશ્વત્થામાને ઊભા કર્યા. બ્રિટનના–અને બ્રિટનના જેવાં યુરોપનાં બીજાં સામ્રાજયોને ખળભળાવીને ખતમ કરવાં એ જ જાણે હિટલરનું જીવનકાર્ય હતું, જે કરીને એ પિતે પિતાના જ હાથે મૃત્યુ પામ્યો. * શિવનું ખગ લઈને વિજેતા પાંડવોની, પાંડવવિહેણ તેમ કૃષ્ણવિહેણ પ્રસુપ્ત છાવણમાં મધરાતે ઘૂસતો અશ્વત્થામા આવું જ કંઈ ઈતિહાસંનિજિત દારુણ કાર્ય કરવા માટે જ જાણે સજાયેલો છે, એમ નથી લાગતું ? અશ્વત્થામા History નું જ એક instrument છે, મહાકાલનું જ એક સાધન છે, એમ નથી લાગતું ? ૨૪૦. ક્ષુદ્ર! અશ્વત્થામાને શિબિરના દ્વાર પર થયેલ અનુભવથી કૃપાચાર્ય અને કૃતવર્મા સાવ અજાણ છે. અશ્વત્થામાએ જે જોયું - સાંભળ્યું તે જે તેમણે જોયું – સાંભળ્યું હતું, તે તેઓ, કદાચ, ડગમગી ગયા હોત, અને તે પછી જે થયું તે બધું અશ્વત્થામાને એકલે હાથે જ કરવું પડયું હોત. પણ કૃપાચાર્યો અને કૃતવર્માએ તે ફક્ત એટલું જ જોયું કે અશ્વત્થામા, પાંડના શિબિરમાં દાખલ થઈ ગયે. પાંડવપક્ષીય એક જણ શિબિરના દ્વારમાંથી છટકવા ન પામે તે જોવાની જવાબદારી તેમની હતી, એટલે દ્વાર પાસે પ્રહારસજ્જ થઈને તેઓ ભા. . અશ્વત્થામા પાંડવોની શિબિરને નકશો બરાબર જાણતા હતા. ધીરે રહીને તે ધૃષ્ટદ્યુમ્નના નિલયમાં દાખલ થયા. સૌ વિજયને ઘેનમાં સૂતા હતા, અઢાર દિવસના સતત યુદ્ધને થાક સૌ નિરાંતે ઉતારી રહ્યા હતા. '! અશ્વત્થામાએ ધૃષ્ટદ્યુમ્નને પોતાને પલંગ પર સૂતેલો દીઠે. રેશમી રાઈઓ પર તે સૂતો હતો. ધૂપથી તેમ જ પુષ્પથી તેને શયનખંડ સુવાસિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy