________________
૧૬૬
નારદની આ પ્રસ્તાવના પરથી જ યુધિષ્ઠિર સમજી ગયો કે કઈક અમોંગલ થયું હશે; અને થયું હતું પણ તેવું.
શતરૂપના આશ્રમમાં વ્યાસજીએ આગાહી કરી હતી તેવી રીતે ધૃતરાષ્ટ્ર હવે ધીરે ધીરે દેહાધ્યાસ છેાડતા જતા-વધુ ને વધુ પ્રમાણમાં વિરક્ત થતા જતા હતા.
કુરુક્ષેત્ર છેાડીને તે ગંગાદ્વાર આવ્યા હતા. પણ હકીકતમાં તેની સ્થિતિ હવે કાઈ જંગમ અવધૂત જેવી હતી. ગાંધારી અને કુન્તી અને સંજય તેની પાછળ પાછળ તેની શકચ તેટલી સેવા અર્થે ભટકતાં રહેતાં. પણ તે કયાંય સ્થિર ઠરીઠામ થઈને રહેતા નહિ.
હવે એક વખતે એ ગંગામાં સ્નાન કરીને વનને રસ્તે થઈને પેાતાના આશ્રમ ભણી જઈ રહ્યો હતેા, ત્યાં વનમાં દાવાનળ લાગ્યા. એ વખતે પવન જોરથી ફૂંકાતા હતા, એટલે અગ્નિની આંચ એક વૃક્ષથી ખીજે, અને ખીજેથી ત્રીજે, એમ ઝપાટાભેર આગળ ધસતી ધસતી ધૃતરાષ્ટ્ર અને તેની સાથેના માણસે ભણી આવી રહી હતી.
હવે છેલ્લા છ માસા દરમિયાનના ઉપવાસોની અતિશયતાને કારણે હાડચામના માળખા જેવું બની ગયેલ એ દૃનું કલેવર અત્યંત જીણું બની ગયુ` હતુ`. ગાંધારી પણ કેટલાય દિવસથી કેવળ જળપાન કરીને રહેતી હતી અને કુન્તી પણ એક મહિનાથી સતત ઉપવાસ કરતી હતી. સંજય પણ દર છઠ્ઠું દિવસે અનાજ લેતા હતા. ટૂંકામાં આખા પરિવાર કાળની એક હળવી સરખી ફૂંક લાગતાં મૃત્યુની ખીણમાં ગબડી પડે એવી સ્થિતિમાં આવી ગયા હતા, એવે ટાણે બરાબર આ દાવાનળ પ્રગટ થયે.
હવે ધૃતરાષ્ટ્રે આ દાવાનળને પોતા ભણી આવતા અનુભવ્યો કે તરત જ એણે સંજયને કહ્યું : “તું કેાઈ સલામત સ્થળે નીકળી જા, સંજયુ.”
સ ંજયે ધૃતરાષ્ટ્રને સમજાવવાના ઘણા પ્રયત્ન કર્યાં. પણ ધૃતરાષ્ટ્ર એકનો બે ન થયા. પાતાને અગ્નિસાત્ કરવાને અને સંજયને ત્યાંથી દૂર કરવાને તેના નિશ્ચય અડગ જ રહ્યો.
આખરે અગ્નિ અત્યંત નિકટ આવી પહેાંચ્યા અને સંજય ધૃતરાષ્ટ્રના વચનને માથે ચઢાવી, તેની પ્રદક્ષિા કરીને દૂર ચાલ્યે! ગયા અને ધૃતરાષ્ટ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com