SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ નિચ્છ જિયાનું માનીત પમ – સમીપ આવી પહોંચી દાવાનળને શરણે થયો, અને તેની સાથે તેની પતિવ્રતા પત્ની ગાંધારી તેમ જ પાંડવોની માતા કુન્તી પણ પંચત્વને પામી. દાવાનળમાંથી બચી ગયેલ સંજય આ પછી નારદજી તથા અન્ય ઋષિઓને મળીને હિમાલય તરફ નીકળી ગયું હતું, અને દાવાનળ શાન્ત પડ્યા પછી ધૃતરાષ્ટ્ર તેમ જ ગાંધારી અને કુન્તીનાં બળી ગયેલાં કલેવરો નારદજીએ જાતે જ પોતાની આંખોએ જોયાં હતાં. “પિતાની મેળે સામે ચાલીને મૃત્યુને ભેટનારને શોક ન હોય; યુધિષ્ઠિર,” પોતે આપેલ સમાચારથી શેકવ્યાકુળ બનેલ પાંડવોને ઉદ્દેશીને નારદે કહ્યું. પણ એવાં બોધવચનોથી–નારદજી જેવાનાં બોધવચનોથી પણ એ શેક શમી જતું હોય તે પછી જોઈએ જ શું ? કથા કહે છે કે ધૃતરાષ્ટ્ર-ગાંધારીના અને માતા કુન્તીના આવા નિધનના સમાચાર સાંભળતાંવેંત કર્થે દુ: પ્રોઃ યુધિષ્ઠિઃ પાંચે ભાઈએ તેમ જ અંતઃપુરને નારીસમાજ સૌ આર્ત સ્વરે આન્દ કરવા લાગ્યો. અને નારદે, અને ડાક વખત પછી સ્વસ્થ બની યુધિષ્ઠિરે તેમને માંડ માંડ શાન્ત કર્યા. યુદ્ધ પછી આમ અઢાર વર્ષે, સ્વેચ્છાપૂર્વક સ્વીકારેલ વનવાસના ત્રીજા વર્ષે આમ અગ્નિસાત થયેલ ધૃતરાષ્ટ્રને જીવનની છેલ્લી ક્ષણે કણ જાણે શા શા યે વિચારો આવ્યા હશે. તેના મનની સંકુલ સૃષ્ટિ જોતાં અનેક પરસ્પરવિરોધી વિચારોએ તેને ઘેરી લીધા હશે. અને તેમાં એક વિચાર કદાચ એ પણ હશે કે અહે મૃત્યુની ન્યાયપ્રિયતા! બીજાઓ માટે લાક્ષાગૃહ સરજનારાઓને જીવનને અંતે એ લાક્ષાગૃહમાં જ સળગાવે છે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy