________________
૧૬૦
વનમાં ગયેલાંઓ તેમનાથી વિસરાતાં નથી. તેમની શી સ્થિતિ છે તે જાણવાની ઉત્કંઠે તેમનાં કાળજાંને કરી રહી છે. બધાં શતચૂપના આશ્રમમાં છે એટલું તે તેઓ જાણે જ છે, પણ શતચૂપને આશ્રમ કુરુક્ષેત્રમાં છે, અને કુરુક્ષેત્રના નામની સાથે યુદ્ધની અનેક દુઃખદ સ્મૃતિઓ સળગી ઊઠે છે, અને તેમનું મન ખાટું ખાટું થઈ જાય છે. રાજલક્ષ્મીને ઉપભોગ, સ્ત્રીઓને સહવાસ, ધાર્મિક ક્રિયાકાંડ – કશામાં તેમનું મન પરેવાતું નથી. કશું જ તેમને ગોકતું નથી. રહી રહીને અભિમન્યુની અને દ્રૌપદીના પાંચ પુત્રોની-અને કર્ણની યાદ તેમના અંતરમાં ભડભડી ઊઠે છે.
જીવવા માટે હવે તેમને કશું જ કારણ નથી, તેમને થાય છે, પણ વૈશંપાયન કહે છે કે હે જનમેજય, તારા પિતા પરીક્ષિતના મેં સામું જોઈને તારા એ પિતામહે ધારયન્તિ મ પ્રાધાન્ - પ્રાણ ટકાવી રાખતા હતા.
કુન્તીનું શું થયું હશે ? અને ધૃતરાષ્ટ્ર-ગાંધારીનું ? અને વિદુર અને સંજયનું ?” એ પ્રશ્નો તેમના અંતરમાં નિરંતર ધૂંધવાયા કરતા હોય છે. આખરે..
ચાલે, એક વાર જોઈ ને આવીએ તેમને થાય છે. અને તેઓ નીકળી પડે છે.
પાંડવ કુરુક્ષેત્રમાં જઈ રહ્યા છે એવી ખબર પડતાં રાજ્યના નાગરિકે તેમ જ ગ્રામજને પણ પિતપતાનાં કામોને પડતાં મૂકીને યુધિષ્ઠિરના સંઘમાં સામેલ થાય છે; અને જોતજોતામાં હસ્તિનાપુરથી કુરુક્ષેત્ર ભણી જતા રસ્તો પાલખીઓ, રથ, અશ્વો આદિ વિવિધ વાહનોથી તેમ જ પગપાળા માણસોથી છલી ઊઠે છે.
આખું હસ્તિનાપુર જ જાણે કુરુક્ષેત્ર જવા ઊપડયું છે એમ લાગે છે રાજ્યના સંરક્ષણની જવાબદારી પુરોહિત ધૌમ્ય અને ધૃતરાષ્ટ્રપુત્ર યુયુત્સુને સપીને.
યમુનાને ઓળંગીને સૌએ કુરુક્ષેત્રમાં પ્રવેશ કર્યો. શતધૂપને આશ્રમ દૂરથી દેખાતાંવેંત સૌ હર્ષાવેશમાં આવી ગયાં; અને પોતપોતાનાં વાહનોને ત્યાં જ મૂકીને સૌએ પગપાળા આશ્રમ તરફ દોટ મૂકી.
પણ આશ્રમમાં ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કુન્તી વગેરે કઈ જ ન હતાં.
પાંડવો પિતાની માતા તથા પિતાના કાકાને મળવા માટે ઠેઠ હસ્તિનાપુરથી આવ્યા છે એવા ખબર સાંભળીને ચારે કોરથી દોડી આવેલા ઋષિઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com