________________
૧૬:૧
પૂછતાં જાણવા મળ્યું કે ધૃતરાષ્ટ્ર અને એની સાથેનાં સૌ યમુનામાં નહાવા ગયાં છે. એ નહાઈને પાછાં આવે ત્યાં સુધી તેમની વાટ જોવાની ધીરજને અભાવે સૌ યમુનાતટ ભણી દાડચાં!
દાડતાં દાડતાં સહદેવની નજર નહાઈને આવતી કુન્તી પર પડી, અને તે મા ભણી દાડચો માના પગમાં પડીને નાના બાળકની પેઠે તે રડવા લાગ્યા.
કુન્તી પણ આંસુભીની આંખાએ પેાતાના એ વહાલા પુત્રને—માદ્રીના એ નાનેા પુત્ર કુન્તીને પોતાના સગા દીકરાઓ કરતાં પણ વધારે વ્હાલા હતા !—પંપાળી રહી.
કંઈક અસામાન્ય બનાવ બની રહ્યો છે એટલું જ ફક્ત સમજી શકતી ગાંધારીને અત્યંત ધીમે અવાજે તેણે કહ્યું : “ સહદેવ છે. એ અને ખીજા પાંડવા તેમ જ હસ્તિનાપુરની જનતા વડીલના તેમ જ આપના દર્શનાર્થે આવ્યાં હેાય એમ લાગે છે.”
દરમિયાન યુધિષ્ઠિર, ભીમ આદિ પણ આવી પહેાંચ્યા હતા, અને ગાંધારી તેમ જ ધૃતરાષ્ટ્રને દારી રહેલી માને, અને પછી ધૃતરાષ્ટ્ર-ગાંધારીને પગે પડી રહ્યા હતા.
કંઈક ગાંધારીએ આપેલી ખબર પરથી, અને કંઈક સૌના અવાજો તેમ જ સ્પર્શી પરથી ધૃતરાષ્ટ્રે બધાયને ઓળખી ગયા.
અને પછી થાડાક વખત, હર્ષાશ્રુની ધારાએ યમુનાતટથી શતગ્રૂપના આશ્રય તરફ આવતી વનકેડી પર વરસી રહી.
આશ્રમમાં ઋષિઓની ડ જામી ગઈ હતી. ધર્મના અવતાર મનાતા યુધિષ્ઠિરને તથા તેના પ્રસિદ્ધ-પરાક્રમ ચાર ભાઈઓને જેવા સૌ ઉત્સુક હતા.
એમની વિન'તીથી સંજય એક એક કરીને સૌના પરિચય કરાવે છે, તેમાં અર્જુન માટે શ્યામા યુવા એવા શબ્દો વાપરે છે તે ખૂબ વિચારપ્રેરક છે. આજથી સાળેક વરસ પહેલાં પણ આ જ શબ્દો અર્જુન માટે વપરાયેલા છે—વિરાટનગરના અજ્ઞાતવાસની પૂર્ણાહુતિપ્રસંગે !
દ્રૌપદીને પરિચય આપતાં એવી જ રીતે, મળું ય: વિચિદ્ધિ æાન્તી એવા શબ્દ વપરાયા છે. (પાંડવાની ઉંમરની અટકળ કરવામાં આ વિધાના ઠીક ઠીક ઉપયાગી થઈ પડે એવાં છે.)
૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com