________________
૧૫૭
૨૯૧. પહેલી રાત
પહેલે દિવસે ધૃતરાષ્ટ્ર અને તેના સાથીએએ ભાગીરથીતીરે મુકામ કર્યા. વેદવેત્તા બ્રાહ્મણોએ વિધિપૂર્વક ચેતાવેલા અગ્નિએ તપાવનમાં ઠેર ઠેર ઝગમગી રહ્યા. ધૃતરાષ્ટ્રે અગ્નિમાં આહુતિ હેામી સંધ્યાપાસના કરી.
આ પછી વિદુરે અને સંજયે કુશ નામના ઘાસ વડે ધૃતરાષ્ટ્રની– અને તેનાથી થેાડેક દૂર ગાંધારીની શય્યા તૈયાર કરી. કુન્તીએ ગાંધારીની પડખે જ પેાતાની પથારી રચી; અને આ ત્રણના અવાજ પહેાંચે એટલે નજીક વિદુર અને સંજય વગેરેએ પેાતાતાને માટે સૂવાની સગવડ કરી. બાકીના બધા — યાજકા અને બ્રાહ્મણે – જેમને જ્યાં ડીક લાગ્યું ત્યાં લેટી પડચા.
-
વનવાસની આ પહેલી રાત સૌ માટે કાઈ બ્રાહ્મી રાતની પેઠે પ્રીતિષિની બની રહી.
પ્રભાત થતાં સૌ ઊચાં અને પાતપેાતાનાં નિત્યકમેર્મો પતાવી અગ્નિને ઉપાસી ઉત્તર દિશા તરફ આગળ વધ્યાં.
બધાં ઉપવાસી હતાં.
ભવિષ્યને અંગે સચિન્ત પણ હતાં.
આ તરફ તેમને વળાવીને હસ્તિનાપુર તરફ જઈ રહેલ નર-નારીસમાજ પણ એટલા જ સચિન્ત હતા; પણ તેમની ચિન્તા વન ગયેલાંને અંગે હતી.
ખરેખર, વનવાસના આ પહેલા દિવસ સૌને માટે અતિવુ લોડમૂત્ર-~~ અતિ દુ:ખદાયી હતા.
૨૯૨. દૈવની અલિહારી ! કે પુરુષાર્થની ?
ભાગીરથીતીરથી ઊપડીને સંઘ કુરુક્ષેત્રમાં આવ્યા. શયૂપ નામના એક પ્રસિદ્ધ રાષિના ત્યાં આશ્રમ હતા. ધૃતરાષ્ટ્રે એ આશ્રમમાં જવા માગતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com