________________
૧૫૬
મહાભયાનક યુદ્ધનદીને તરીને તારી પ્રેરણું અને તારા જ પ્રોત્સાહનથી અમે રાજ્યલક્ષ્મી પ્રાપ્ત કરી; અને હવે તું જ અમને છોડીને જતી રહે.મા, એ કેવું !”
ભીમ પણ માને અશુપૂર્ણ સ્વરે સમજાવે છે, “પિતાના મૃત્યુ પછી અમને બાળકને વનમાંથી તું જ હસ્તિનાપુર લાવી મા; લાક્ષાગૃહમાં અને તે પછીના કષ્ટમય વનભ્રમણમાં તું જ અમારી સાથે હતી ! અમારે ખાતર તેં શું શું નથી વેઠયું, મા ! અને હવે જ્યારે જંપીને બેસવાને વારો આવ્યો છે, ત્યારે...”
દ્રૌપદી પણ અશ્રુનીતરતાં તેણે સાસુ સામે જોઈ રહી છે; અને મૂંગી કાકલૂદીઓ વડે પતિના વીનવણીઓમાં સૂર પુરાવી રહી છે.
મારી એક જ અભિલાષા હતી.” કુન્તી છેવટને જવાબ આપે છે, “પાંડને વંશ ચિરકાળ ટકી રહે, અને પાંડુને યશ આ વસુધામાં વિસ્તરતો રહે. મારા પુત્રોને તમને-કઈ પરાયાના મેં સામે જોઈને બેસી ન રહેવું પડે (મા વેષાં મુavલાઃ ) એવું મારે કરવું હતું...અને તે મેં કર્યું ! તમને વખતોવખત પ્રેત્સાહનનાં વેણ મેં કહ્યું રાખ્યાં હોય, તે તેની પાછળ આ જ એક હેતુ હતું. બાકી રાજ્યશ્રી મેં ક્યાં ઓછી માણી છે તમારા પિતા પાંડુના જીવનકાળ દરમિયાન ! હવે પુત્રનિર્જિત રાજ્યની મને સ્પૃહા નથી. મને તે હવે તપશ્ચર્યા દ્વારા પુણ્ય પતિલોકમાં જવાની ઈરછા છે. મને રજા આપ, બેટા !” કુન્તીની છેલ્લી શીખ યુધિષ્ઠિરને એક જ છેઃ
धर्मे ते धीयताम् बुद्धिः मनस्तु महदस्तु ते । ધર્મે બુદ્ધિ રહે તારી
મન તારું અને મહાન કેઈ પણ મા કાઈ પણ દીકરાને આના કરતાં વધુ શું આપવાની હતી!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com