SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ ધૃતરાષ્ટ્રના મનમાં અત્યારે અનેક પ્રકારની ગડમથલ ચાલી રહી છે તે એના આ અંતિમ સંભાષણમાં છતી થાય છે. એને વૈરાગ્ય હજુ જેટલે. નિરાશામૂલક છે, તેટલે જ્ઞાનમૂલક નથી. પુત્રો મરતાં પોતે ભત્રીજાઓને એશિયાળો થઈ ગયો છે એ હકીક્ત એ ભૂલી શકતું નથી, અને પ્રજાજનોને ભૂલવા દેતું નથી. એનામાં Self-pity – પિતાના પર દયા ખાવાની વૃત્તિની માત્રા ઘણી જ વધારે છે. જનતામાં એ પિતા પ્રત્યે દયાની લાગણી ઉશ્કેરવા માગે છે. સાથે સાથે જનતા હવે યુધિષ્ઠિરને જ વફાદાર રહે એવી શીખ પણ એ આપે છે (જે કે જનતા તે યુધિષ્ઠિરને વફાદાર જ છે!). વળી પિતાના પુત્રો અને પોતાના હાથે જાણે અજાણે જનતાનું કંઈ અહિત થઈ ગયું હોય તે તેને માટે એ ક્ષમા પણ માગે છે! “આ પુત્રશંકા ગાંધારી પણ આપ સૌની ક્ષમા યાચે છે” એ કહે છે, “તે તે, અમે બે વૃદ્ધ તપુત્રી સુવતી છીએ એ જોઈને આપે તે આપવી ઘટે છે.” જતાં જતાં પંદર વરસ પહેલાં જે ઘેર કુલવિનાશક યુદ્ધ થયેલું તેને માટે બધા જ દોષ પોતાના પુત્રોને જ હતા, એવું નિવેદન પણ તે કરતો જાય છે. ધૃતરાષ્ટ્રના આ ભાષણની અસર વર્ણવતાં મહાભારત લખે છે કે, એ સાંભળીને “સૌની આંખો ભીની થઈ અને સૌ મૂંગા મૂંગા એકબીજાની સામે જોવા લાગ્યા.” ૨૮૭. નખત્તા ધૃતરાષ્ટ્રના અંતિમ સંભાષણે સરજેલ કરુણ અને વિષાદપૂર્ણ વાયુમંડલ ત્યાં આગળ ભેગી થયેલ જનમેદનીની આંખમાંથી અશ્રુઓને વરસાદ વરસાવી રહ્યું અને થોડોક વખત તે નિઃશબ્દ શાન્તિ સર્વત્ર પ્રસરી રહી. પછી, હંમેશને માટે વિદાય થઈ રહેલ અંધ અને વૃદ્ધ રાજવીને વિદાય બદલ કંઈક કહેવું તે જોઈએ જ, એવો વિચાર કરીને જનમેદનીએ સામ્બ નામના એક બ્રાહ્મણને સૌ વતી બેલવાની વિનંતિ કરી. લેકેનું પ્રતિનિધિત્વ કરી શકે એવો એ સાબ હતું. તે સદાચારી હત તેમ જ હજારે માણસ વચ્ચે મનની વાત એગ્ય શબ્દમાં રજૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy