SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ યજ્ઞો એણે કર્યા છે. મબલખ દાન એણે બ્રાહ્મણને આપ્યું છે. તમારા. વનવાસનાં તેર વરસો દરમિયાન પૃથ્વીનું નિષ્કટક રાજ્ય પણ એણે ભોગવ્યું છે; અને છેવટે તારી સેવાચાકરી પણ માણું છે. હવે કઈ પણ જાતને વસવસો એને બાકી રહ્યા નથી. હવે ભલે જતો એ વનમાં !” આપ સૌની જ્યારે આ જ આજ્ઞા છે,” વ્યાસ, વિદુર, સંજય, યુયુત્સુ-સૌને સંબોધીને યુધિષ્ઠિરે કહ્યું, “તે હું લાચાર છું. પણ હવે એમને કહે કે જમી લે.” અને ધૃતરાષ્ટ્ર કઈ રીઃ નિવૃત્તિ ની પેઠે ધીમે ધીમે ગાંધારીને ટકે પિતાના રાજભવન તરફ ચાલ્ય અને વિદુર, કૃપ, સંજય વગેરે તેની પાછળ પાછળ ગયા. આ પછી ભેજનાદિ પતાવી, યુધિષ્ઠિરને છેવટની શીખ આપી. વનમાં જવાની તેણે તૈયારી કરી. પ્રજાજનેની વિદાય લેતી વખતે ધૃતરાષ્ટ્ર જે ઉદ્ગારો કાઢે છે તે નોંધપાત્ર છે. अस्माकं भवतां चैव येयं प्रीतिर्हि शाश्वती न च साऽन्येषु देशेषु राज्ञामिति मतिर्मम ॥ તમારી અને અમારી વચ્ચે જે પારસ્પરિક પ્રીતિ છે, કાયમની, તેવી પ્રીતિ અન્ય દેશમાં રાજા અને પ્રજા વચ્ચે જોવામાં નથી આવતી.” युधिष्ठिर-गते राज्ये प्राप्तश्चास्मि सुखं महत् । मन्ये दुर्योधनैश्वर्याद् विशिष्टमिति सत्तमाः ॥ “યુધિષ્ઠિરના શાસનકાળ દરમિયાન મને તો મહાસુખને જ અનુભવ થયો છે. દુર્યોધનના શાસનકાળ દરમિયાન પણ એવો અનુભવ મને નહોતો થયો ” પણ હવે मम चान्धस्य वृद्धस्य हतपुत्रस्य का गतिः । ऋते वनं महाभागास्तन्मामनुज्ञातुमर्हसि ॥ “અંધ, વૃદ્ધ અને હતપુત્ર એ હું–તેને વન સિવાય બીજો કયો. આશરો છે, અત્યારે !–માટે મને વનમાં જવાની રજા આપો.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy