________________
૧૩૮
હજુ પણ એને ગળે ઊતરતું નથી. કેઈક બીજું કારણ પણ હોવું જોઈએ, તેને થાય છે.
તેનું આ કુતૂહલ શમાવવા માટે વૈશંપાયન એક બીજી આખ્યાયિકા કહે છે.
મહાભારતની કથા જનમેજયના સર્પસત્ર દરમિયાન વ્યાસના શિષ્ય વૈશંપાયને ત્યાં આગળ એકઠા થયેલ જનસમાજને સંભળાવી હતી, એ આપણે જાણીએ છીએ. કથા-સમાપ્તિ પછી હિંસાની અનિષ્ટતા અને વેરની વ્યર્થતા મનમાં વસતાં અને આસ્તીક નામના, શાંતિસ્થાપનને વરેલા એક ઋષિના આગ્રહથી જનમેજયે પિતાને એ યજ્ઞ પડતું મૂક્યો હતો તે સર્વવિદિત છે.
એ કથાની સાથે આ નાનકડી આખ્યાયિકાને બરોબર મેળ ખાય છે. હિંસાની ગહણ અને અહિંસાની પ્રતિષ્ઠા એ મહાભારતની રચના પાછળનો એક પ્રધાન ઉદ્દેશ છે, એની મહાભારતમાં ઠેર ઠેર આવતાં અનેક દષ્ટાંતો તેમ જ વચને સાક્ષી પૂરે છે.
આખ્યાયિકા આ પ્રમાણે છે : એક વાર ઈન્દ્રને યજ્ઞ ચાલતું હતું. ત્રણેય લોકના મહર્ષિઓ હાજર હતા.
પશુઓના હેમને સમય આવ્યો ત્યારે મહર્ષિએ “કૃપાન્વિત થઈ ગયા. ગરીબડાં પશુઓને મારવાની કલ્પના માત્રથી ગળગળા થઈ ગયેલ અવાજે ઇન્દ્રને તેઓ કહેવા લાગ્યા!” “નાથં યજ્ઞવિધિઃ ગુમઃ તું ઈચ્છે છે તો ધર્મનું આચરણ કરવા, પણ તારે હાથે થઈ રહ્યું છે અધર્મનું આચરણ! હિંસા ધર્મ ૩ ”
તે પછી શું કરવું ?” ઇંબે પૂછ્યું, “શાસ્ત્રો તે યજ્ઞની આ જ વિધિ દર્શાવે છે!”
“ખેટી વાત” ! ઋષિઓએ વિરોધ કર્યો, “શાસ્ત્રોક્ત યજ્ઞમાં હિંસાને સ્થાન જ ન હોય! પશુઓને બદલે અનાજને હામ કરે ” (અન્નદાન કરે એવો અર્થ પણ કરી શકાય.)
પણ ઈન્દ્રને ઋષિઓની આ વાત ન ગમી. અહંભાવ અને મહિને વશ થઈને તે પિતાની મૂળ વાતને, હિંસક યજ્ઞની વાતને વળગી રહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com