________________
૧૩૭
અમૃતના ઓડકાર ખાઈને અતિથિએ પિતાની સંતુષ્ટતા અને પ્રસન્નતા વ્યક્ત કરી ?
ભૂખ પ્રજ્ઞા, ધર્મ બુદ્ધિ અને ધૃતિને નાશ કરે છે,” એક સનાતન સત્ય તેણે ઉચાયું, “એવી ભૂખ પર જે માણસ વિજય મેળવે છે, તેના જેવો બીજે કઈ વિજેતા નથી. એવો સુધા-વિજેતા અમરપદને પામે છે.”
અને સાચેસાચ થયું પણ એમ જ. નેળિયાના દેખતાં જ એ બ્રાહ્મણકુટુંબ સદેહે સ્વર્ગમાં જાય છે.
પણ વાર્તા આટલેથી જ પૂરી થાય તે પછી તે પ્રાચીન જમાને જ શાને?
બ્રાહ્મણકુટુંબની આવી કસોટી કરનાર અતિથિ કેાઈ સામાન્ય માનવી ન હતું, સાક્ષાત્ ધર્મ હતો !
“અને એ ધર્મદેવ તેમ જ પેલું બ્રાહ્મણકુટુંબ–પાંચેય ત્યાં આગળથી અદશ્ય થયા બાદ પોતાના કથનને ઉપસંહાર કરતાં નેળિયાએ કહ્યું, “હું દરમાંથી બહાર આવ્યું, અને જે જગ્યાએ બેસીને પેલા અતિથિ બ્રાહ્મણે ભોજન કર્યું હતું તે જગ્યા પર શેડીકવાર આળોતેને પ્રણિપાત કરવાના ઈરાદાથી; અને મારા આશ્ચર્યને પાર ન રહ્યો. તમે જુઓ છે તેવી રીતે, મારું અધું શરીર અને મસ્તક સુવર્ણનું થઈ ગયું. આ પછી મને એક જ ઘેલછા જાણે વળગી પડી! મારું બાકીનું શરીર પણ સુવર્ણનું થાય એ હેતુથી હું વિશ્વના તમામ યજ્ઞોમાં આથો . પણ વ્યર્થ ! છેલ્લે મહારાજ યુધિષ્ઠિર શ્રીકૃષ્ણ અને વ્યાસ જેવાની સહાય વડે અશ્વમેધ કરી રહ્યા છે એવું સાંભળીને અહીં દેડ્યો આવ્યું. પણ પરિણામ તમે જુઓ જ છે!..
“ને માટે જ મેં તમને કહ્યું : પેલા ઉચ્છવૃત્તિથી જીવતા કુરુક્ષેત્રી બ્રાહ્મણના યજ્ઞની તુલનામાં તમારે આ અશ્વમેધ યજ્ઞ તૃણવત છે!”
૨૮૪. હિંસા વિરુદ્ધ અહિંસા
પણ જનમેજયને હજુ એક કુતૂહલ છે. ઈન્દ્ર સમાન પરાક્રમી પોતાના પૂર્વજોના અશ્વમેધને નોળિયાએ આવી રીતે શા માટે ઉતારી પાડ્યો તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com