________________
૧૩૩ ધર્મરાજ યુધિષ્ઠિર પર આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ રહી હતી, ત્યાં આ આશ્ચર્યકારક ઘટના ઘડાઈ.
એક નીલાક્ષ નકુલ યજ્ઞવાટમાં એકાએક દષ્ટિગોચર થયો.
જાંબલી આંખવાળા એ નેળિયાનું એક પડખું સોનાનું હતું, એનું મસ્તક પણ સોનાનું હતું.
મેઘગર્જના જેવા અવાજે તે દેવતાઈ નેળિયાએ માનવીની વાણીમાં આ પ્રમાણે કહ્યું :
सक्तुप्रस्थेन वो नायम्
यज्ञस्तुल्यो नराधिपाः! “હે નરાધિ, તમારો આ યજ્ઞ “સકતુપ્રસ્થ”ની સરખામણીમાં તુચ્છ છે.”
યુધિષ્ઠિરના યજ્ઞને કાઈ બીજા યજ્ઞની સરખામણીમાં તુચ્છ ગણનાર, અને આમ આખી દુનિયા સાંભળે એવી રીતે તુચ્છ કહેનાર આ નાળિયો કોણ હશે?
સૌના કુતૂહલને જ જાણે શમાવતો હોય એમ એ નેળિયાએ “સકતપ્રસ્થ એ શબ્દ ઉપર ભાષ્ય કરવા માંડયું.
“કુરુક્ષેત્રમાં વસતા અને ઉંછવૃત્તિથી આજીવિકા ચલાવતા એક અકિંચન બ્રાહ્મણની આ વાત છે,” તેણે કહ્યું, “એ બ્રાહ્મણે જવની શેરભર હૅશ(સçપ્રથ)ને દાન વડે જે યજ્ઞ કર્યો હતો, તેની તુલનામાં તમારે આ દ્રવ્યસમૃદ્ધ યજ્ઞ કશી વિસાતમાં નથી.”
નેળિયાના આ ઉદંડ ગર્જનતર્જનથી વિસ્મિત થઈને બ્રાહ્મણ તેને
ઘેરી વળ્યા.
સમગ્ર જનતાને ધનાધાન્યાદિન મબલખ દાનથી પરિતુષ્ટ કરનાર આ યજ્ઞની તું આમ માંફાટ નિન્દા કરે છે !” તેમણે ઠપકે આયે.
“નિન્દા નથી કરતો; જે સત્ય છે, તેનું ઉચ્ચારણ જ માત્ર કરું છું.” સંપૂર્ણ સ્વસ્થપણે નેળિયાએ સંભળાવ્યું.
“શું સત્ય છે ?”
“આ જ ! આ યજ્ઞ પેલા અકિંચન બ્રાહ્મણે સતુ વડે કરેલ યજ્ઞની તોલે નથી આવી શકતે તે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com