________________
૧૩૪
“પણ તે કેમ જાણ્યું ?”
“આ મારા શરીર સામે જુઓ,” નેળિયાએ કહ્યું, “એક પડખું અને માથું સોનાનું છે ને ?”
“છે,” લાચારપણે સૌ સંમત થયા, “પણ તેનું શું ?” “એ સોનાનું થયું–સકતપ્રસ્થમાં !”
“તે થયું હશે,” બ્રાહ્મણોએ કહ્યું, “પણ તેમાં યુધિષ્ઠિરના આ યજ્ઞને શા માટે વખોડે છે?”
એટલા માટે કે મારું બાકીનું શરીર અહીં સેનાનું ન થયું ! એવું ને એવું જ રહ્યું–તમે જુઓ છે તેવું !...પણ હવે હું તમને આખી વાત માંડીને કહું.”
કુરુક્ષેત્રમાં એક કુટીમાં વસતા એ બ્રાહ્મણ ધર્માત્મા અને નિયતેન્દ્રિય હતે. પાંચ ટંકના ઉપવાસ પછી છ ટંકે જમવું એવું એને વ્રત હતું. પણ કઈ કઈ વાર તે છટ્ટે ટકે પણ આહારને અભાવે કડાકા થતા અને જમવાની વાત બારમા ટંક પર જતી – જે બારમે ટેકે યોગ્ય આહાર ઉપલબ્ધ હોય છે !
આવી સ્થિતિમાં એક વાર દુકાળ પડ્યો; અને પહેલેથી જ કપરી એ બ્રાહ્મણ કુટુંબની સ્થિતિ વધુ કપરી બની. આખા કુટુંબને અનેક ઉપવાસ થયા. બ્રાહ્મણ, એની પત્ની, એને પુત્ર અને પુત્રવધૂ-એ ચારેયની કાયા પરિક્ષીણ થઈ ગઈ. શુકલ પક્ષ દરમિયાન સૂર્ય મધ્યાકાશે આવે તે સમયે-અને તેટલો વખત જ એ ઉચ્છવૃત્તિ બ્રાહ્મણ અનાજના કણ વીણવા માટે કુટીની બહાર જાય.
આવી રીતે ઉચ્છવૃત્તિ કરતાં એક વખત શેરેક જવના કણે એ બ્રાહ્મણના હાથમાં આવી ગયા. એ જવની એની પત્નીએ અને પુત્રવધૂએ ઘેંશ બનાવી. પછી જપ, હેમ આદિ નિત્યકર્મો પતાવી ચારેય જણાંએ પેંશને ચાર પડિયામાં સરખે ભાગે વહેંચી લીધી અને જમવાની શરૂઆત કરતાં હતાં ત્યાં–
ત્યાં બરાબર અણને ટાંકણે જ એક બ્રાહ્મણ તેમની કુટીના દ્વાર પર આવીને ઊભો રહ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com