________________
૧૨૮
ગયા. ત્યાં દ્રવિડા, આંધ્રા તથા ભયાનક માહિષા તથા કાગિરયાને હરાવીને અર્જુન અશ્વની પાછળ પાછળ ગેાકણું આવ્યા; અને ત્યાંથી પ્રભાસ થઈને વૃષ્ણીવીરા વડે રક્ષાયલી રમ્ય દ્દારાવતી સુધી પહાંચ્યા.
યાદવ તરુણા યજ્ઞના અશ્વને જોતાંવેંત કળી ગયા. અશ્વને એમણે આંતર્યો. પણ રાજા ઉગ્રસેનને સમાચાર મળતાં જ એ વસુદેવ આદિને લઈને નગરના પાદર તરફ દાડયો; અને પાર્થને સુયેાગ્ય સત્કાર સમર્પી ને અશ્વ સાથે વિદાય કર્યા.
દ્વારકાના પાદરમાંથી નીકળી, અનેક પ્રદેશેાને પાર કરી, પ`ચનદમાં થઇને અશ્વ ગાંધારમાં આળ્યે, જ્યાં આગળ શકુનિના પુત્ર રાજ્ય કરતા હતા. કુરુક્ષેત્રને સંભારીને, પિતાનું વેર લેવાના ઈરાદાથી એણે અશ્વને પકડી લીધે. પિતાના વેરી સામે ચાલીને વાધની ખેાડમાં મરવા આન્યા છે એમ તેને લાગ્યું! ખાતુ સરભર કરવાના આવા અવસર શીદ ને જવા દેવે—તેને લાગ્યું. ગાન્ધાર યાહાએને સાથે લઈને એ અર્જુન પર તૂટી પડચો.
અર્જુને પહેલાં તો તેને સમજાવવાના ખૂબ પ્રયત્ન કર્યો : “ કાઈની જમીન પડાવી લેવાની કે કાઈના પ્રાણ હરી લેવાની યુધિષ્ઠિરની જરા પણ ઇચ્છા નથી, એમને તેા ફક્ત એમના ધર્મચક્ર'ની આણ સ્વીકારે એટલુ' જ જોઈએ છે, ” એવી એવી ખેાળાધરીએ આપીને એને શાન્ત કરવાની અર્જુને ઘણીયે ાશિશ કરી; પણ શનિપુત્રને હસ્તિનાપુરથી ગાંધાર આવેલ અર્જુનને હરાવવેા એ બાળકના ખેલ જેવું લાગતું હતું.
પણ ઘેાડીક જ વારમાં તેની આ ભ્રમણા ભાંગી ગઈ; અને તેમાંય જ્યારે ગાંધાર યાહાએ પેાતાના રાજવીને માથેથી શિરસ્ત્રાણ ઊડતું જોયુ, અને અર્જુને ધાયુ હેાત તા માથું ઉડાવતાં પણ આટલી જ વાર લાગત, એવી તેમની ખાતરી થઈ, ત્યારે તે તેમના હાંજા જ ગગડી ગયા. દરમિયાન રણસંગ્રામની આ વિષમ પરિસ્થિતિના સમાચાર મળતાં શકુનિની વિધવા, વર્તમાન રાજવીની માતા, પેાતાના મંત્રીએ તથા બ્રાહ્મણોને માઢા આગળ કરીને નગરમાંથી બહાર આવી. પેાતાના પુત્રને તેણે ઠપકા આપ્યા (કેટલા મેડા ! ) અને પાર્થને યુદ્ધ બંધ કરવાની વિનતિ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com