________________
૧૨૯
એક રીતે જોઈએ તે આપને આ પુત્ર મારો ભાઈ જ છે, મા !” અર્જુને તેને કહ્યું, “અમારી વચ્ચે યુદ્ધ હોય જ નહિ. હવે માતા ગાંધારી તથા વડીલ ધૃતરાષ્ટ્રને ખાતર પણ વિરભાવને ત્યાગ કરીને આવતી ચિત્રીએ મહારાજ યુધિષ્ઠિરના અશ્વમેધ પ્રસંગે સૌ હસ્તિનાપુર પધારજો.”
૨૮૧. અશ્વમેધની તૈયારી
આમ, પોતાની મનસ્વી રીતે, આખાયે ભારતવર્ષમાં–જષ્ણુપમાં –ફરીને અશ્વમેધને અશ્વ અર્જુનના સંરક્ષણ નીચે હસ્તિનાપુરમાં પાછો ફર્યો.
માઘ મહિનાની પૂર્ણિમાને દિવસે યજ્ઞવાટ બાંધવાનું કામ શરૂ થયું. દેશપરદેશથી આવેલ રાજવી અતિથિઓ માટે તેમ જ મહર્ષિઓ, બ્રાહ્મણો તથા ઇતર વર્ષે માટે અસંખ્ય અતિથિભવનો એ યશવાટ કરતાં નિર્માયાં. સાગર ગાજતે હોય એ જનમેદનીને અવાજ ત્યાં આગળ અહેરાત ગાજી રહ્યો. વાણીવંતા અનેક વિદ્વાને શાસ્ત્રાર્થ દ્વારા એકમેક પર વિજયી બનવાની અભિલાષાથી ત્યાં ઊતરી આવ્યા હતા. સમૃદ્ધિમાં યુધિષ્ઠિરને આ યજ્ઞ એ ઈન્દ્રના યજ્ઞ જેવો જ હતો-યજ્ઞમાં કશીયે વસ્તુ એવી ન હતી. જે સુવર્ણની ન હોય! "
- ર દિ વિંચિત્ અસૌવમ્ અન્ન વસુવાર્ષિst: રોજ એક લાખ બ્રાહ્મણે જમતા હતા. અન્નના ડુંગરે અને ઘીદૂધના સાગરે ત્યાં જતા હતા.
અને માણસો–બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શોઃ બધીયે જાતિઓના અને બધાય દેશોના–એટલા બધા એકઠા થયા હતા કે યુધિષ્ઠિરના એ મહાયજ્ઞમાં સમગ્ર ગમ્યુક્ટીવ રથ દેખાતે હતે.
. . ૨૮૨. યજ્ઞની પૂર્ણાહુતિ
પછી યુધિષ્ઠિરના આદેશથી ભીમે તથા નકુલ–સહદેવે, ત્યાં આગળ એકત્ર મળેલ સૌ રાજવીઓની વિધિપૂર્વક પૂજા આરંભી. કૃષ્ણ, બલદેવ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com