________________
૧૨૬
હાય, તેા મારે નાછૂટÝ લડવું જ પડશે. પણ પહેલા પ્રહાર તું કર. (પ્રહરક્ષ્ય યથારાત્તિ. । મન્યુઃ વિદ્યતે મમ) મને તારા પ્રત્યે લેશ પણ ક્રોધ નથી.”
મેઘસન્ધિને તા એટલું જ જોઈતુ હતું. એ યુદ્ધ શરૂ કરે છે. આક્રમકના ઝનૂનથી, પિતામહને સંભારીસંભારીને, અર્જુન પર તે તૂટી પડે છે. પા પર બાણાના તે જાણે વરસાદ જ વરસાવે છે. પણ પાર્થ શાન્ત છે. ઝનૂનના જવાબ તે ઝનૂનથી નથી આપતા. ફક્ત પેાતાના સંરક્ષણ પૂરતા જ તે હથિયારાના ઉપયોગ કરે છે. પણ એટલામાં પણ મેઘસન્ધિના ધ્વજ, પતાકાડ, રથ, યંત્ર, હય વગેરે છિન્નભિન્ન થઈ જાય છે. અર્જુન આ બધે ઠેકાણે બાવૃષ્ટિ કરે છે, પણ મેધસન્ધિના સારથિને કૈ મેઘસન્ધિને પેાતાને જાણીજોઈને અડતે નથી. (ન રાર્ન સારથી )
પણ મેઘસન્ધિ સાચેસાચ ‘ બાળક ’ છે. અર્જુનના આ સંયમને તે અવળેા અર્થ કરે છે. અર્જુન નબળા છે, મારા પર બાણુ ચલાવવાની એની હિ'મત જ નથી એમ માનીને તે પોતાનું ઝનૂન વધાર્યે જ જાય છે, અર્જુનને વીંધતા જ જાય છે. આખરે આને હાથ બતાવ્યા વગર છૂટકા જ નથી એમ અર્જુનને લાગે છે. અને અર્જુન ગંભીર બને છે. મેઘસન્ધિના સાથિને તે મારી નાખે છે, તેનું ધનુષ પણ તે તેાડી નાખે છે. મેઘસન્ધિ ગદા લઈને અર્જુન સામે ધસે છે, પગપાળા; પણ અર્જુન એની ગદાના ટુકડેટુકડા કરી નાખે છે. ( “ જેનું મણિબંધન તૂટી ગયું છે એવી એ ગદા, હાથમાંથી સરકી પડેલ નાગણની પેઠે પૃથ્વી પર પડે છે!”)
હવે મેઘસન્ધિ ખરેખર અસહાય અવસ્થામાં આવી પડે છે; પણ અર્જુન તેના લાભ લેવા નથી માગતા. આ વખતે અર્જુન જે રીતે એને સખાધે છે તે અર્જુનની ઉદાત્તતાની તેમ જ આર્યતાની સાખ પૂરે છે. મહાભારત લખે છે કે આવી રીતે ‘ વિથ ’, · વિ-ધનુષ્ય ' અને વગરના ' બની ગયેલ મેધસન્ધિને અર્જુને આ પ્રમાણે કહ્યું :
<
ગદા
“ ક્ષાત્રધર્મનું તે હવે પૂરેપૂરું પાલન કરી બતાવ્યું છે, એટા; હવે બસ ! તારી અવસ્થા જોતાં આ પરાક્રમ તા ઘણું જ કહેવાય! મહારાજ યુધિષ્ઠિરની સૂચના અનુસાર કાઈ પણ રાજવીના શકય ત્યાં સુધી વધ નથી કરવાના. ’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com