SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ ઓથે રહીને તમે એમને વીંધી નાખ્યા હતા. હવે એ પાપનું પ્રાયશ્ચિત્ત કર્યા વગર જ જે તમે પરલોકમાં જાઓ, તે નરકમાં પડે. એટલે આ પુત્રને હાથે તમારે પરાજય કરાવીને તમારા પાપનું મેં પ્રાયશ્ચિત્ત સાધ્યું. “તમે જાણે છે કે ભીષ્મ પૂર્વજન્મમાં આઠ વસુઓમાંના એક વસુ હતા. તમારા હાથે એમનો ઘાત થતાં સ્વર્ગમાં વસતા બાકીના સાત વસુઓએ તમને શાપ આપવા ધાર્યો હતો. મને આ વાતની જાણ થતાં મેં મારા પિતાને વસુઓની પાસે મોકલ્યા. પિતાએ વસુઓને શાપ આપતા રોક્યા. તેમનો પુત્ર (એટલે કે બબ્રુવાહન) એમને (અર્જુનને) રણભૂમિ પર હરાવશે અને સંહારશે એવું વચન મારા પિતાજીએ તે વખતે વસુઓને આપ્યું હતું તે મેં આ રીતે પૂરું કર્યું. પુત્ર એ પિતાને જ આત્મા છે, એ જોતાં તમે તમારાથી જ હાર્યા છે ! એમાં લાંછન લેશ પણ નથી.” ઉલૂપીના આ ખુલાસાથી અર્જુન અત્યંત પ્રસન્ન થયું. પછી બબ્રુવાહનને બેય માતાઓ સાથે અશ્વમેધમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપી ફરી તેણે અશ્વનુસરણ આદર્યું. ૨૭૯. “અમને બૈરીઓ સમજે છે ?' મુક્ત રીતે ફરતો ફરતે અશ્વ રાજગૃહના પાદરમાં આવ્યો. રાજગૃહ મગધની રાજધાની; અને મગધ એટલે જરાસંધને દેશ. જરાસંધને પૌત્ર મેઘસબ્ધિ અશ્વ પોતાના પ્રદેશમાં આવ્યાની વાત સાંભળી યુદ્ધ માટે સજ્જ થયે. અને બાંધીને અર્જુનને તે દબડાવવા માંડ્યો. મેઘસ િહજુ બાળક હતું, એટલે અર્જુનની સામે થવું એટલે શું એ તે જાણતા ન હતા, તું શું અમને બધાને બેરીઓ સમજે છે?” અર્જુનને ધમકી આપતાં તેણે કહ્યું. અર્જુને સંપૂર્ણ શાંતિથી અશ્વમેધ યજ્ઞની વાત તેને સમજાવી. યુધિષ્ઠિરને ખાસ આગ્રહ છે કે શક્ય ત્યાં સુધી યુદ્ધ ટાળવું એ પણ તેને કહ્યું. પણ અર્જુન જેમ જેમ શાંતિ અને વિનયની ભાષા વાપરતે જાય છે, તેમ તેમ મેઘસબ્ધિ વધુ ને વધુ ઉગ્ર બનતો જાય છે. તે ભલે,” આખરે અર્જુનને કહેવું પડે છે, યુદ્ધ તારે કરવું જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy