________________
૧૨૨
પર મુગ્ધ થઈ, તેના પિતાએ રજુ કરેલ શરતોને માન્ય રાખીને તેને પર હતા. એ લગ્નને પુત્ર બબ્રુવાહન અત્યારે મણિપુરની ગાદીએ હતા. | પિતા અર્જુન આવ્યાના સમાચારથી બભૂવાહન અત્યંત પ્રસન્ન થયે. બ્રાહ્મણોને મોઢા આગળ કરીને, તેમ જ પિતાને ભેટ ધરવા માટે વિવિધ માંધામૂલી ભેટ લઈને પિતાનું સામૈયું કરવા એ નગરની બહાર આવ્યો.
- બબ્રુવાહનના આ પુત્રોચિત વર્તનમાં અર્જુનને ભીરુતાની ગંધ આવી. ક્ષત્રિયના ધર્મ પ્રમાણે બબ્રુવાહને અશ્વને આંતરીને પિતાને યુદ્ધ માટે પડકાર આપવો જોઈતું હતું એમ અર્જુનને લાગ્યું. (યુધિષ્ઠિરની વિદાય વેળાની શીખ અને અર્જુનની આ માન્યતા, બે વચ્ચે મેળ ખાય છે ખરો?) ક્રોધે ભરાઈને પુત્રને તેણે કહ્યું : “આ પ્રક્રિયા" – તારું આ વર્તન મને ન ગમ્યું. આ તે તે ક્ષત્રિયધર્મને કાહ કર્યો. હું જે અહીં એક પિતા તરીકે આવ્યા હોત, તે વાત જુદી હતી. મારી આ મુલાકાતની પાછળ “કાં તે શરણે આવે, કાં તે યુદ્ધ કરો !” એ પડકાર ન હોત, તે તારું આ વર્તન જરૂર દીપી ઊઠત; પણ અત્યારના સંજોગોમાં તે એ સ્ત્રીવરી જેવું લાગે છે!” અજુન એટલે બધે ઉશ્કેરાઈ ગયો છે, અથવા તે પુત્રને તે એટલી હદે ઉશ્કેરવા માગે છે કે તેના માટે એ નરાધમ અને સુદ્યુતિઃ જેવાં વિશેષણ પણ વાપરે છે!
પિતાના સહજ વર્તનને પિતાએ આ અવળો અર્થ કર્યો એથી બબ્રુવાહન જરૂર ઉશ્કેરાયે હશે. પણ એ ઉશ્કેરાટને વધુ ઉગ્ર બનાવે એવો. એક બીજો બનાવ બને છે. ગંગાદ્વારમાં અર્જુન જેને પોતાના વનવાસ દરમિયાન પર હતો, તે નાગકન્યા ઉલૂપી અહીં પ્રગટ થાય છે. ચિત્રાંગદા સાથે આ ઉલૂપીને ફક્ત એક સ-પત્ની તરીકે જ નહિ, પણ એક સન્માન્ય વડીલ તરીકે પણ સંબંધ લાગે છે. અર્જુનના હાથે થયેલું બબ્રુવાહનનું અપમાન તેનાથી સસ્તું જતું નથી. પુત્રને તે પિતાની સાથે યુદ્ધ કરવા પ્રેરે છે....... ' અને સામૈયું સંગ્રામમાં પલટી જાય છે.
અને અર્જુન ખૂબ પ્રસન્ન થાય છે. ' : પિતા-પુત્ર કચેના આ યુદ્ધને વ્યાસજીએ મનુ કહ્યું છે. ઇતિહાસ અને પુરાણમાં પિતા અને પુત્રો વચ્ચેનાં એકાંક યુદ્ધોને ઉલ્લેખ છે, પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com