SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ પ્રાતિષપુરમાંથી નીકળીને ફરતે ફરતે અશ્વ સિબ્ધપ્રદેશમાં આવ્યું. આપણુ રાજા જયદ્રથને મારનાર અજુન આપણું ધરતી પર આવ્યો છે, હવે એને ઘેરીને વધેરી નાખ સહેલું છે, એમ માનીને સિધુપ્રદેશના અનેક દ્ધાઓ ચારે બાજુએથી બાણોની વૃષ્ટિ કરતા કરતા અર્જુનની સામે ધસ્યા. ચોમેરની બાણવૃષ્ટિ વચ્ચે અજુન પરન્તર–સંચારી રન્તઃ “પિંજરામાં પડેલા પક્ષી” જેવો લાગતો હતો; પણ અર્જુનને આ પિંજર તેડતાં કેટલી વાર? ડાક વખતમાં સૈધવોને સોથ નીકળી ગયું. આ સમાચાર મળતાં જયદ્રથની પત્ની, ધૃતરાષ્ટ્રની પુત્રી દુઃશલા પિતાના બાળક પૌત્રને લઈને રથમાં બેસીને રણભૂમિ પર આવી. અર્જુનને તે યુદ્ધ બંધ કરવા વીનવવા લાગી. “પણ આનો બાપ ક્યાં છે? તમારો પુત્ર ?” “એ તે તમે આવ્યા છે એટલા સમાચાર સાંભળતાંવેંત હૃદય બંધ પડવાથી મરી ગયો ! હવે મારા સામે જોઈને આ બાળક ઉપર દયા કરે!” અર્જુનને તે આટલું જ જોઈતું હતું. યુધિષ્ઠિરની સૂચનાને તેમ જ ગાંધારી અને ધૃતરાષ્ટ્રને યાદ કરીને તેણે યુદ્ધ બંધ કર્યું અને યુધિષ્ઠિરના યજ્ઞમાં આવવાનું સૌને નેતરું આપીને તે, હવે ફરી મુક્ત બનેલ અશ્વની પાછળ પાછળ ચાલ્યું. આ પ્રસંગે જયદ્રથ પ્રત્યે દુરશલાને કેવી લાગણી હતી તેનું દિગ્દર્શન વ્યાસજીએ આપણને કરાવ્યું છે. પોતાના પૌત્રની રક્ષા અર્થે યુદ્ધ બંધ કરવાની અર્જુનને વિનંતી કરતાં જયદ્રથને એ અનાર્ય અને નૃશંસ કહે છે. જ્યષે એક વાર કાપદીનું હરણ કરવાની કોશિશ કરેલી, એ વાચકેને યાદ હશે જ ! ૨૭૮. સામૈયું કે સંગ્રામ? સિન્ધપ્રદેશમાં વિજય મેળવ્યા બાદ અર્જુન, મુક્તચારી અશ્વની પાછળ પાછળ મણિપુરના પાદરમાં પહોંચ્યા. ' વાચ મણિપુરને ભૂલી નહિ જ ગયા હેય. બાર વરસતા વનવાસ દરમિયાન અર્જુન અહીં આવ્યું હતું, અને પુરુષવેષમાં ફરતી ચિત્રાંગદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy