________________
૧૨૦
તેને યોગ્ય સામનો કરવાનું પણ માંડી વાળ્યું ! આ લાગ જોઈને ધૃતવર્માએ અર્જુનની હથેલીને વીંધી નાખી અને પરિણામે ગાંડિવ અર્જુનના હાથમાંથી પડી ગયું. અર્જુનના હાથમાંથી પડતા ગાંડિવને વ્યાસે મેઘધનુષની ઉપમા આપી છે! અને કેટલી ઉચિત અને ઇવનિસભર છે તે ઉપમા ! ધનુષ્યનું ધનુષ્યપણું તે લડે એમાં છે! એ લડે નહિ, અને યોદ્ધાના હાથમાંથી ખરી પડે, તે એ કેવળ દેખાવનું ! મેઘધનુષ !
અર્જુનની આ પરેશાની જોઈને ધૃતવર્માએ અટ્ટહાસ્ય કર્યું. અર્જુનને હવે ગુસ્સો આવ્યો. હથેળી અને આંગળીઓ પરથી લોહી લૂછીને તેણે ગાંડીવને ફરી હાથમાં લીધું અને ધૃતવર્માને અને તેની કુમકે આવી પહોંચેલા અનેક ત્રિગર્લોને તબાહ પોકરાવી ! થોડીક જ વારમાં એ સૌ વચમ્ ઃ વિંજારઃ સર્વે-“અમે સૌ તમારા કિકર છીએ” એમ કહેતા કહેતા શરણે આવ્યા અને યુધિષ્ઠિરની વિદાય વખતની શીખને સંભારીને અર્જુને તેમને અભયદાન આપ્યું.
ર૭૭. ધાકથી જ મરી ગયો!
આ પછી અશ્વ ફરતે ફરતે પ્રાયોતિષપુર આવ્યો. અહીંના રાજકુલને પણ પેઢીઓથી પાંડવો સામે વેર હતું. ભગદત્ત, સોમદત, અને ભૂરિશ્રવા ત્રણેય, એક અથવા બીજી રીતે, મહાભારતના યુદ્ધમાં પાંડવોને હાથે ખપમાં આવી ગયા હતા. ભગદત્તના પુત્ર વજદરે પિતાનું વેર લેવા માટે અશ્વને આંતર્યો. અર્જુને તેને બાણથી વીંધી નાખે. વજુદત્ત પીછેહઠ કરી પોતાના નગરમાં ભરાઈ ગયો, અને ડાક વખત પછી હાથી પર સવાર થઈને અર્જુનની સામે આવ્યો. ત્રણ દિવસ સુધી પગપાળા અર્જુન અને ગજસ્થ વદત્ત વચ્ચે યુદ્ધ ચાલ્યું. ચોથે દિવસે વજદરે પોતાના હાથીને અજુન પર ધસાથે; પણ અર્જુને બાણની એવી તે ભયાનક વૃષ્ટિ કરી, કે હાથી અનેક ઠેકાણે ઘાયલ થઈને, વેદનાથી પીડાતે, પોતાના સવાર સોતે જમીન પર પછડાયો ! વજદત્તની દશા હવે અત્યંત દયાપાત્ર બની ગઈ. અને ધારે તો એક જ ઝાટકામાં તેનું મોત નિપજાવે; પણ યુદ્ધિષ્ઠિરની વિદાય વેળાની ભલામણ સંભારીને અર્જુને વજદત્તને અભયદાન આપ્યું અને “યુધિષ્ઠિરના અશ્વમેધ ચામાં હાજર રહેજે!” એવી સૂચના આપીને તેને મુક્ત કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com