________________
૧૨૩
તે બધાંની પરિસ્થિતિ આ યુદ્દ કરતાં જુદી છે. ત્યાં પિતાપુત્ર એકમેકને ઓળખતા નથી, જ્યારે અહીં તે એકમેકને સારી રીતે ઓળખે છે. આ જોતાં આ યુદ્ધ ખરેખર અ-તુજ છે.
હવે અર્જુન તે ફક્ત પુત્રનું પાણી માપવા માટે જ લડતા હતા, એટલે એના પ્રહારેની પાછળ ઝનૂન નથી, કેવળ લીલા છે; જ્યારે બભ્રુવાહન પિતાના મહેણાંટાણાં અને ઉલૂપીની ભભેરણીથી ખૂબ ઉશ્કેરાઈ ગયા છે. તેનું એક બાણુ અર્જુનના ‘ જત્રુ 'તી આરપાર નીકળી જાય છે–જેમ કાઈ રાફડાની આરપાર સર્પનીકળી જાય તેમ ! (વ્યાસજીની પ્રસિદ્ધ ઉપમા ). વીંધાયેલ અર્જુન ધનુષને ટેકે-પ્રમીત વ–‘ડરી ગયા હેાય એવી રીતે’ ચેડીક વાર ઊભા રહે છે. ( અશ્વની રક્ષા અર્થે અર્જુન અશ્વમેધના નિયમ પ્રમાણે પગપાળા જ નીકળ્યા છે એ વાચકાને યાદ જ હશે. )
થાડીક વાર પછી કળ વળતાં અર્જુન પુત્રને તેના યુદ્ધકૌશલ માટે અભિનન્દન આપીને તેના પર ફ્રી બાવૃષ્ટિ કરે છે. પણ બભ્રુવાહન હવે વિજયરંગમાં છે, અને અર્જુનનાં બાણાના મન વિનાના માર તેના પર કશી જ અસર નિપજાવી શકતા નથી. પુત્રની હજુ વધારે કસોટી કરવા માટે અર્જુન તેના ધ્વજ તાડી પાડે છે, રથને ભાંગી નાખે છે અને ધાડાઓને મારી નાખે છે; અને પિતાના આ આક્રમણથી ખૂબ ઉશ્કેરાઈને બભ્રુવાહન એની છાતીને વીંધી નાખે છે. અજુ ન હવે મૂર્છાવશ થઈને ધરતી પર ઢળી પડે છે. અને તે જ વખતે બભ્રુવાહનને પણ મૂર્છા આવી જાય છે.
આટલી વારમાં તે ચિત્રાંગદા પણુ રણભૂમિ પર આવી પહેાંચે છે. પતિ તેમ જ પુત્ર બંનેને હતચેતન બનીને સમરભૂમિ પર ઢળી પડેલા જોઈને એ કલ્પાંત કરવા માંડે છે. એ જાણે છે કે પિતાપુત્ર વચ્ચેનું યુદ્ધ ઉલૂપીની ભંભેરણીને આભારી હતું. ઉલૂપીને ઠંપા આપતાં એ કહે છે: 'તું ખરી આર્યધર્મજ્ઞ અને પતિવ્રતા છે, ઉલૂપી, કે પુત્રને હાથે પતિને તેં આવી રીતે મરાવી નાખ્યા! મને મારા આ પુત્ર મરી ગયે તેનું એટલુ બધું દુ:ખ નથી, જેટલું પતિના મૃત્યુનુ છે; જેમનું આતિથ્ય મણિપુરના પાદરમાં આ રીતે થયું !”
t
- ''
';
ચિત્રાંગદાના મનમાં એક વહેમ છે અર્જુન પાતાને પરણ્યા પછી તરત જ મણિપુરમાં આવીને ચિત્રાંગદા સાથે પ્રેમમાં પડ્યો અને એને પરણ્યા એ બાબત ઉલૂપીને અર્જુન ઉપર રાખતા નહિ કાય? અને એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com