________________
(૧૧૭
રહેલી પ્રસૂતિને સમય બેવડા મૃત્યુના સમય જેવો લાગ્યો હોય એ સ્વાભાવિક જ છે.
અને થયું પણ એમ જ !
જન્મેલ બાળક-પુત્ર ચેતનારહિત છે એવું પ્રતિખંડમાં ઉત્તરાની સેવા-સુશ્રુષા કરી રહેલ નારીવૃન્દને લાગ્યું અને તે ચિત્કારી ઊઠયું. કુન્તી અને દ્રૌપદી અને સુભદ્રા સૌ કૃષ્ણ પાસે દોડ્યાં. ધારી-અણધારી અનેક આફતો વખતે કૃષ્ણ જ તેમને એક તારણહાર સિદ્ધ થયા હતા. અઢળક વિશ્વાસ હતો તેમને સૌને, વસુદેવના એ પુત્ર પર!
त्वं नो गतिः प्रतिष्ठा च
त्वदायत्तमिदं कुलम् । “તું જ અમારું શરણ છે; તું જ અમારું આલેખન છે, તું જ અમારા કુલના અસ્તિત્વને આધાર છે.”
એવો ચિત્કાર કરતી કુન્તી કૃષ્ણના ચરણમાં આળોટી પડી. સુભદ્રા અને કૃષ્ણા પણ એવો જ વિલાપ કરી રહ્યાં.
સૂતિકા ગૃહમાં સૂતેલ ઉત્તરા પણ અર્ધમૂર્ણિત દશામાં ઘડીક પોતાના અચેતનશા શિશુને સંબોધીને; તે ઘડીક તેને સ્વર્ગસ્થ પિતાને અનુલક્ષીને, આક્રંદ કરી રહી હતીઃ
“ધર્મરાજની અનુજ્ઞા લઈને હું ઝેર પીશ, બળી મરીશ ! ઊઠ, ઊભો થા, પુત્ર, આ જે! તારી પ્રપિતામહી કેવો કલ્પાંત કરી રહી છે. છાની રાખ એને! આ જો, તારી દાદીઓ.”..વગેરે
કૃષ્ણ પ્રસૂતિગૃહમાં દેડ્યા.
છે પર આળોટી રહેલી ઉત્તરાને તેમણે બેઠી કરી. પર્યક પર પડેલ શિશુ પર તેમણે એક દષ્ટિ કરી અને પછી
संजीवताम् अयम् “એ જીવતે થાઓ !” એટલા શબ્દો તેમણે ઉચ્ચાર્યા
અને શિશુ, જે અત્યાર લગી નિસ્પન્દ જે, લેશ પણ હલનચલન વગરને લાગતો હતો, તે સળવળવા લાગે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com