________________
૧૧૮
આ ચમત્કાર શેને આભારી હશે ? કૃષ્ણ પિતે તે ફક્ત એટલું જ કહે છે કે
यथा सत्यं च धर्मश्च मयि नित्यं प्रतिष्ठितौ।
तथा मृतः शिशुरयं जीवतामभिमन्युजः ॥ “સત્ય અને ધર્મ મારામાં નિત્ય પ્રતિષ્ઠિત છે, તેથી હું કહું છું કે અભિમન્યુને આ બાળક જીવત થાઓ !”
વરિલીને - કુલ ક્ષીણ થયું હતું એ વખતે એ બાળક જન્મ્યો હતે એ જોઈને શ્રીકૃષ્ણ એનું નામ પરિક્ષિત પાડયું,
- ૨૭૫, રાજસૂય અને અશ્વમેધ
પરિક્ષિતના જન્મ પછી એક મહિને પાંડવો હિમાલયમાંથી પાછા આવ્યા.
પૃથ્વીને નિષ્પાંડવી કરવાના અશ્વત્થામાના સંકલ્પથી તેમ જ તેના બ્રહ્માસ્ત્રપ્રયોગથી તેઓ સુપરિચિત હતા, એટલે પૌત્રને કુન્તીના ખોળામાં હસતો રમતો જોઈને તેમને પારાવાર આનંદ થયો; અને પૌત્રના રક્ષણ માટે દ્વારકાથી હસ્તિનાપુર વેળાસર આવી પહોંચેલ કૃષ્ણને તેમણે આભાર માન્ય. અશ્વમેધ નિમિત્તે આવેલ કૃષ્ણ આ શિશુના સંરક્ષણ અર્થે ખાસ એક મહિને વહેલા આવ્યા હતા, એ તેઓ સમજી ગયા અને કૃષ્ણ પ્રત્યે તેમનો પ્રેમ અને આદર ખૂબ વધ્યા.
અશ્વમેધ માટે જોઈતું દ્રવ્ય હવે આવી ગયું હતું. એટલે એ પુણ્યકાર્યના મંગલાચરણ લેખે, વ્યાસ અને કૃષ્ણની અનુજ્ઞાથી યજ્ઞના અશ્વને છુટ્ટો મૂકવામાં આવ્યો. અશ્વિની રક્ષા માટે નિયુક્ત થયેલ અર્જુનને વિદાય કરતી વેળા યુધિષ્ઠિરે એક ખાસ સૂચના આપી : “રાજાઓ તે એમના સ્વભાવ પ્રમાણે સામા થશે, કેટલાક તે અત્યંત ઝનૂનથી; પણ આપણે બને ત્યાં સુધી લડાઈ ટાળવી. હજુ હમણાં જ જે મહાઘોર સંહાર થઈ ગયે. છે, તેમાં ઉમેરો કરવાની મારી લેશ પણ ઈચ્છા નથી. એટલે લડવું તે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com