SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ ઠોકર મારી હતા, તે જ બૃહસ્પતિને પુરોહિત બનાવવાની વિનતિ મરુત્તને ઈન્ડે કરવી એવું ઠર્યું. પણ મરુત્ત પાસે હવે જાય કેણુ? દેવેન્દ્ર અગ્નિને દૂત તરીકે મેક અમિએ મરુસ પાસે જઈને સંવર્ધને મૂકી દઈને બ્રડસ્પતિને યજ્ઞાચાર્ય તરીકે સ્થાપવા માટે સામ-દામ-ભેદ-દંડ ચારે ઉપાય વડે તેને સમજાવ્યું. પણુ મરુત્ત એકવચની હતે: સંવર્ત સાથે વચનબદ્ધ હતા. આ સ્થિતિ ભવિષ્યમાં એકવાર આવવાની જ છે એવી આગાહી પોતાના ભાઈ તથા ઈન્દ્ર બની પ્રકૃતિથી સુપરિચિત એવા સંવતે કરી જ હતી; અને એ આગાહી સાચી પડે ત્યારે પ્રલોભન કે ધમકી કશાને વશ ન થતાં પિતાને જ વળગી રહેવાનું વચન તેણે મરુત્ત પાસેથી લઈ લીધું હતું. મરુત્ત એ વચનનું પૂરેપૂરું પાલન કર્યું. દેવોના પુરોહિતની સામે ચાલીને આવેલી માગણીને તેણે માન સાથે પાછી વાળી–બહસ્પતિ માટે શેડીક દક્ષિણ-“અંજલિ મેકલવાની તૈયારી બતાવીને ! આમ છતાં, અગ્નિએ દલીલો ચાલુ જ રાખી ત્યારે મરુત્ત તેને “બાળી મૂકવાની” ધમકી આપી, અને દુનિયાને બાળનાર અગ્નિ, શિવપૂજક સંવના આ રાજર્ષિ શિષ્યની ધમકીથી ડરી જઈને ખાલી હાથે પાછો ફર્યો. “તું અગ્નિ, એની બાળી મૂકવાની ધમકીથી ડરી ગયે ?” એવું જ્યારે દેવેન્દ્ર અગ્નિને મહેણું માર્યું ત્યારે અગ્નિએ તેને ભૂતકાળમાં તે પોતે પણ (ઈન્દ્ર પણ) કેવી કેવી રીતે બ્રહ્મતેજ પાસે પરાજિત થઈને પલાયન કરી ગયો હતે એની યાદ અપાવી!... આ પછી ઈન્ડે એક બીજો પ્રયત્ન પણ કરી જોયે : ધૃતરાષ્ટ્ર નામના ગાન્ધરાજને તેણે મરુત્ત પાસે દૂત તરીકે મૈકલ્ય. પણ તેની પણ એ જ દશા થઈ. અને સંવના પુરહિતપદે મરુત્તને યજ્ઞ થયો. અને વિશ્વમાં એ યજ્ઞની અને એના કરનાર-કરાવનારની એટલી બધી બોલબાલા થઈ કે ઈન્દ્ર અને બૃહસ્પતિ બને ઝાંખા પડી ગયા ! પણ ઈન્દ્ર અને બહસ્પતિ બન્નેમાં શૌર્ય કરતાં શાણપણને અંશ પ્રણે જ વધારે હતું એટલે સંવતના ઔપચારિક આમંત્રણને માન આપીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy