________________
૧૦૮
પુરોહિતપદ સ્વીકારીને સુંવાળી અને સુખના દાસ બન્યા હતા, જ્યારે સંવ તપનિધાન ભગવાન શંકરને પોતાના ઈષ્ટપદે સ્થાપીને વારાણસીમાં તેમના દર્શનની આકાંક્ષાથી અવધૂત જેવો બનીને રહેતે હતે. મેલાઘેલા દેખાતા અને સદૈવ દિગબર અવસ્થામાં રહેતા એવા એમને જોઈને ભાગ્યે જ કોઈ ધારે કે આવા ગંધારા જુગુપ્સાપ્રેરક શરીરમાં એક મહાતેજસ્વી બ્રહ્મનિષ્ઠ આત્મા વસતે હશે!
વારાણસીમાં મતે આ સંવતને નારદજીએ આપેલ માર્ગદર્શન પ્રમાણે શોધી કાઢયો, ત્યારે પહેલાં-પરથમ તે સંવતે તેને એ જ સલાહ આપી કે ભાઈ, યજ્ઞો કરાવવાનું મારું કામ નહિ! તું મારા ભાઈ બહસ્પતિને પુરોહિતપદે બેસાડીને કામ પતાવી લે. પણ પછી, મરુત્ત જ્યારે “ઈન્દ્ર જેવાને પુરોહિત બન્યા પછી એક સામાન્ય મત્સ્ય માનવીનું પુરહિતપદ હું શી રીતે કરું ?” એવા શબ્દો સાથે બહસ્પતિએ પોતાને ધુત્કારી કાઢ્યો હતે એ વાત કરી, ત્યારે સંવતનું સમાનતાવાદી હૃદય તપી ઊઠયું અને બીજા કશાને ખાતર નહિ તે, પિતાના ભાઈને એ દેવ-મદ દૂર કરવા ખાતર પણ, મરુત્તને પુરોહિત થવા તે સંમત થયે. અને પછી તો તેને એવી ચાનક ચઢી કે પોતાના યજમાનને યજ્ઞ ઈન્દ્ર કરતાં સવા યશસ્વી બને એવું કરવું ! પિતે શિવને ભક્ત, એટલે મરુત્તને એણે શિવની ઉપાસના કરીને પોતાના યજ્ઞ અથે અઢળક લક્ષ્મી પ્રાપ્ત કરવાની સૂચના કરી અને મને એ રીતે પોતાના યજ્ઞ અર્થે અપાર સંપત્તિ આણું અને યજ્ઞ શરૂ થયો..
હવે આ બધી ઘટનાઓની ખબર જ્યારે બહસ્પતિને પડી, ત્યારે તે ઈર્ષાથી સળગી ઊઠયા અને..ઈન્દ્રમાં પણ તેમણે ઈષને એ ભાવ સંક્રાન્ત કર્યો. પણ હવે કરવું શું?–ગુરુશિષ્ય બને પ્રશ્ન પંઝવી રહ્યો.
આખરે એક રસ્તે સુજ્યો. મને યજ્ઞ તે હવે થવાને જ હતું, તે એ બૃહસ્પતિને હાથે જ શા માટે ન થાય? એમાં બે લાભઃ એક તે, સંવર્ત અપમાનિત થઈને પાછો ફરે અને બીજું, મતે શિવારાધન દ્વારા પ્રાપ્ત કરેલી લક્ષ્મી વડે સમૃદ્ધ બનેલ યજ્ઞ કરાવવાની કીર્તિ પ્રત્યક્ષ રીતે બૃહસ્પતિને અને પરોક્ષ રીતે ઈન્દ્રને સાંપડે! " આમ જે બૃહસ્પતિએ મરુત્તની વિનતિને દેવેન્દ્રની જ સલાહથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com