SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ તેઓ તમામ દેવતાઓની સાથે એ યજ્ઞમાં સામેલ થઈ ગયા અને એમ કરીને એ યજ્ઞની–અને કંઈક અંશે પોતાની પણ પ્રતિષ્ઠા વધારી. “એ બધું દ્રવ્ય હજુ હિમાચલમાં જ પડયું છે,” કથાની પૂર્ણાહુતિ કરતાં વ્યાસે કહ્યું : “તારા અશ્વમેધ માટે એ પર્યાપ્ત થઈ પડશે.” ર૭ર. ઉત્તક મનની શાન્તિને અર્થે અશ્વમેધ યજ્ઞ કરવાની પિતે આપેલી સલાહ ઉપર યુધિષ્ઠિરને વિચાર કરતે મૂકીને અને ભીષ્મના શ્રાદ્ધ અંગેની બધી જ વિધિઓ પૂરી થયા બાદ વ્યાસ આદિ ઋષિઓ પોતપોતાને સ્થાને ગયા. પછી હસ્તિનાપુરમાં પ્રવેશ કરીને યુધિષ્ઠિરે રાજ્યનું વ્યવસ્થાતંત્ર નવેસરથી રચ્યું, અને પૃથ્વી પર જાણે ડીક વાર માટે ફરી સત્યયુગ ઊતર્યો. પશુપંખી, પ્રકૃતિ અને માનવી બધાં જ જાણે ધર્મને નજર સામે રાખીને ચાલતાં હતાં, કારણ કે રાજવૃત્તિ ધર્મિષ્ઠ હતી, અને મહાભારત માને છે કે પ્રાયો ઢોરમતિજ્ઞાત રાજ્ઞવૃત્તાનુસારિળ ! બધું થાળે પડી ગયા પછી, કૃષ્ણ અને અર્જુન થોડાક વખત માટે ઈન્દ્રપ્રસ્થ ગયાઃ દુનિયાથી દૂર રહીને મૈત્રીની મોજ માણવા અને જમનાકાંઠા પરનાં પોતપોતાનાં જૂનાં સંસ્મરણો તાજાં કરવા. સુભદ્રાને અર્જુન સાથે પરણાવીને કૃષ્ણ જાતે જ એને ઈન્દ્રપ્રસ્થ મૂકવા આવ્યા હતા, તે વાતને કેટકેટલાં વર્ષો વીતી ગયાં હતાં! ખાંડવદાહ, મયદાનવને જીવિતદાન, તેણે નિમેલી સભા, રાજસૂય યજ્ઞ, ઘત, વનવાસ, વિરાટનગરીમાં અજ્ઞાતવાસ, અભિમન્યુનું લગ્ન, વિષ્ટિ, યુદ્ધોદ્યોગ, કુરુક્ષેત્ર...ગીતા... આપે તે વખતે જે જ્ઞાન મને આપ્યું હતું, જનાર્દન, તે બધું જ હું ભૂલી ગયો છું. તે હવે આપ દ્વારકા પધારે તે પહેલાં એ બધું મને ફરી ન સંભળાવો ?” એવી અર્જુનની વિનતિ પરથી કૃષ્ણએને એ જ્ઞાન ભૂલી જવા માટે ડેક કડવો મીઠો ઠપકે સંભળાવીને “અનુ-ગીતા સંભળાવે છે. આ આખોયે પ્રસંગ, એનું સ્વરૂપ, એની ભાષા, અને એમાં પીરસાયેલ જ્ઞાનથાળ-એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy