SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ મહાકવિ હરિશ્ચંદ્ર ઊલિ છે પ્રાચીન સંસ્કૃત સાહિત્યના અભ્યાસીઓને મહાકવિ હરિચંદ્રનું નામ અજ્ઞાત નથી. જેની અદ્વિતીય કૃતિની ગટ્ટાચાર્ય બાણ વાકપતિરાજ તથા રાજશેખર આદિ કવિઓએ પિતાના ગ્રંથમાં પ્રશંસા કરી છે, તેની પ્રતિભા તત્કાલીન અને યત્કિંચિત ઉત્તરવતો કવિઓ ૫ર ૫ણુ સારી રીતે છવાઈ હતી. જે બાણુની ગદ્યલેખનક્ષમતાના સંબંધમાં ન મૂતો ન મળ્યતિ ની કહેવત વિદ્વાનમાં પ્રસિદ્ધ છે, તે જ બાણે “મટ્ટાર રિચ થાપ કૃપાચ ' (હર્ષચરિત) લખીને હરિશ્ચન્દ્રની ગદ્યલેખનક્ષમતા રવીકારી છે. આવા પ્રખર અને ઉચ્ચ વ્યક્તિત્વશીલ વિદ્વાન કવિના સંબંધમાં એના નામથી અતિરિક્ત આપણા ગુર્જર સાહિત્યમાં અન્ય કશું પ્રસિદ્ધ નથી એ ખેદની વાત છે. અત્યારસુધીમાં એ કવિના સંબંધમાં કેટલાક વિદ્વાનોએ જે કે અન્વેષણ કર્યું છે એથી કેવળ સંશય અને જટિલતાજ વધ્યાં છે. મહામહોપાધ્યાય પૂ સ્વામી શાસ્ત્રી તેમ એક અન્ય કઈ શ્વિવિદ્યાલયના અધ્યાપક સિવાય આ કવિના વિષયમાં કેઈએ ખાસ કઈ લખ્યું નથી. આ લેખમાં ઉક્ત મહાકવિના સ્થાન, કાળ, કૃતિ તેમજ ઇતર વિશેષતાના સંબંધમાં યથાશક્ય પ્રકાશ પાડવાને નમ્ર પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઉક્ત કવિના વિધ્યક છે પણ લખતાં પહેલાં અમે પ્રથમ ઉકત નામના કવિઠારા પ્રણીત પ્રાપ્ત ગદ્ય યા પઘ-ગ્રથને ઉલ્લેખ કરીશું. વાકપતિરાજે એક સ્થળે લખ્યું છે. भासे ज्वलनमित्रे कुन्तीदेवे च यस्य रघुकारे । सौबन्धवे च बन्धे हरिचन्द्रे च आनन्दः ॥ વાપતિરાજના આ અભિપ્રાયને યથાર્થ સમજવા આપણે પ્રથમ “ધર્મશર્માસુદય” અને “જીવન્ધરચયૂ” તરફ દૃષ્ટિ કરીશું. આ બન્ને ગ્રંથ મહાકવિ હરિશ્ચન્દ્ર પ્રણીત છે એ હકીકત પ્રથમ ગ્રંથના નિમ્નલિખિત અંતિમ શ્વેકથી સ્પષ્ટ છેઃ अर्हत्पदाम्भोरुहचंचरीकस्तयोः सुतः श्रीहरिचन्द्र आसीत् । Taણાવાયના રમૂવું સારસ્વત નો સિ ચહ્ય વાસ: | - ધર્મશર્માયમ પ્રથમ ગ્રંથ પદ્યાત્મક મહાકાવ્ય છે. અન્ય ગદ્યપદ્ય-ઉભયાત્મક ચમ્પ છે. ઉભય મળે કાવ્યદષ્ટિએ મહત્વપૂર્ણ છે. વર્ણનશૈલી, ચમત્કારપૂર્ણ કલ્પના અને શબ્દાર્થસષ્ઠવ સર્વથા પ્રશંસનીય છે. ઉપર લિખિત “ધર્મશર્માસ્યુદયના અંતિમ લોકના આદિચરણથી જ્ઞાત થાય છે કે હરિશ્ચન્દ્રના સંબંધમાં મહાકવિ બાણનું જે પદ્ય છે તેમાં મટ્ટાર રવિ કહી બાણે હરિશ્ચન્દ્રને જૈન દર્શાવ્યા છે. ભારપદ જૈનત્વ માટે બેધક છે. એ શબ્દ ભારતમાં ઈતર ધર્મના વિદ્વાની સાથે પ્રયોગમાં નથી આવતું. કેટલાંક દાનપત્રોમાં ભેજ, સિદ્ધરાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034630
Book TitleSuvas 1940 02 Pustak 02 Ank 08
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1940
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy