SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૦ સુવાસ : માગશીર્ષ ૧૯૬ સિંહ આદિના પૂર્વે પર ભટ્ટાર શબ્દને અવશ્ય વ્યવહાર થયું છે પરંતુ કેઈ વિદ્વાન યા કવિના નામની સાથે તે નથી જ થયો. માત્ર જૈન વિદ્વાનોમાં અને કેની સાથે એ શબ્દને પ્રયોગ થયો છે. અએવ બાણક્ત હરિન્દ્ર જૈન જ હતા. - બાણ તથા વાક્યતિરાજના “હર્ષચરિત' અને “ગૌડવમાં ક્રમથી આદિલિખિત હરિચને અમે એકજ વ્યક્તિ માનીએ છીએ. રાજશેખરની કપૂર મંજરી'માં વિદૂષકદ્વારા વણિત હરિશ્ચન્દ્ર અમારા મતે કોઈ અન્ય વ્યક્તિ છે. કેમકે હરિશ્ચન્દ્રનું કેઈ નાટક પ્રસિદ્ધ નથી. અને નાટયકારના દ્વારા નાટક-રચયિતાની જ પ્રશંસા સંભવે છે. એક ત્રીજા હરિશ્ચન્દ્ર પણ છે. એ વિશ્વપ્રકાશ કાશીના કત, મહેશ્વરના પૂર્વપુરુષ અને ચરકના ટીકાકાર છે. એ તૃતીય હરિશ્ચન્દ્ર રાજા સાહસકના વૈદ્ય હતા. એમની ટીકાને અવકી કેઈપણ કહી શકે કે એ કોઇ ભાવુક કવિની કૃતિ નથી. અતએ આ હરિશ્ચન્દ્રને બાણક્ત હરિશ્ચન્દ્રથી ભિન્ન ત્રીજાજ માનવા ઉચિત છે. આપણા ચરિત્રનાયક હરિશ્ચન્દ્ર ઈ. સ. ની સાતમી સદીના બાણ-વાપતિરાજના સમકાલીન અથવા પૂર્વવતી હોવા જોઈએ. - હરિશ્ચન્દ્રના દ્વિતીય ગ્રંથ છવધેરચયૂમાં રાજકુમાર જીવનધરની કથાનું વર્ણન છે. સુપ્રસિદ્ધ જિનસેનાચાર્યના શિષ્ય ગુણભદ્રના ઉત્તરપુરાણમાં પણ જીવનધરની કથા “જીવન ધરોપાખ્યાનના નામથી મળે છે. કેટલાક વિદ્વાનોના મતે હરિચંન્ને પિતાને ક્યાનું મૂળ ઉત્તરપુરાણમાંથી લીધું હેઈ, તેઓ સાતમી શતાબ્દીના નહિ હોતાં ગુણભદ્રના પરવતો છે. પરંતુ મળી આવેલ પુરાવા પરથી આ મત અમે સ્વીકારી શકતા નથી. સુપ્રસિદ્ધ “પાર્ધાભુદય” કાવ્યના અંતિમ પદમાં નીચે પ્રમાણે ઉલ્લેખિત– इति विरचितमेतत् काव्यमावेष्ट्य मेघं बहुगुणमतिदोष कालिदासस्य काव्यम् । मलिनितपरकाव्यं तिष्ठतादाशशांक भुवनमवतु देवः सर्वदाऽमोघवर्षः ॥ –રાષ્ટ્રકૂટવંશજ માન્યખેટ-નરેશ અમેઘવર્ષને સમય પ્રાય: ઈ. સ. ૮૨૭ છે. અતએ જિનસેનને પણ એ જ સમય હશે. એ જિનસેને જૈનપુરાણ -આદિપુરાણની રચના આરંભી હતી, પણ પોતાના જીવન સમયમાં તેઓ તેને પૂર્ણ કરી શક્યા ન હતા. તેમના દેહાંત પછી રાજા અમેઘવર્ષના પુત્ર અકાલવર્ષના રાજત્વ સમયમાં જિનસેનના શિષ્ય ગુણભદ્ર એના શેષાંશને પૂરો કર્યો હતો. ગુણભદ્ર પિતાના ઉત્તર પુરાણના અંતમાં એની રચનાને સમય સને ૮૯૮ દર્શાવે છે. અકાલવર્ષના રાજ્યઅમલને સમય પણ ઈતિહાસગ્રંથમાં એ જ મળે છે. એથી જ્ઞાત થયું કે લગભગ દશમી શતાબ્દિમાં “જીવનધરોપાખ્યાન” રચાયું. હરિશ્ચન્દ્રકૃત “ધર્મશર્માસ્યુદય” ના લેકનું શબ્દત અને અર્થતઃ અનુકરણ મિનિર્વાણના કર્તા વાગ્મદે પિતાની રચનામાં કર્યું છે. એ ઉભય કવિઓના ગ્રન્થના સર્વપ્રથમ લેક ઉદાહરણાર્થ અત્રે ઉદ્ધત કરીએ श्रीनाभिसूनोश्चिरमंघ्रियुग्मनखेन्दवः को मुदमेधयन्तु।। ચત્રાનમાનિ વજૂદારૂનર્મપ્રતિવિષ્યમેળ: // –હરિશ્ચન્દ્ર श्रीनाभिसूनोः पदपद्मयुग्मनखा: सुखानि प्रथयन्तु ते वः । સાં નમાિિાદ:વિરી સંઘવિરાર્તનનોચિત ઃ - વામ્ભટ્ટ આમ સિદ્ધ થયું કે હરિશ્ચન્દ્ર વાભટ્ટના પહેલાંના હતા. વાગભટ્ટે પિતાને સમય પાટણના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034630
Book TitleSuvas 1940 02 Pustak 02 Ank 08
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1940
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy