________________
कर्मसिद्धिः
'घटकुट्यां प्रभातम्' इति न्यायेन स्वीकृतं चायुष्मता भवताऽस्मन्मतम्, किञ्चासी जानन्नजानन् वा घटयति ? नान्त्यः, सर्वज्ञत्वव्याहतिप्रसङ्गात् । आद्यत् विधोपकारिणा पन्चादपि कर्तव्यनिग्रहान् सुरवरिण एतत्प्रतिक्षेपकारिणश्चास्मदादीन् किमर्थं रचयति ? अपि चासौ मूर्तोऽमूर्ती વા ?, મૂર્તશ્વેત ? સ્માવિવજ્ઞ હતૃત્વ મુખ્યર્ત, ગમૂર્ત શ્વેત્ ? બાજાશાવિભગવાન જીવોને સુખી-દુઃખી બનાવે છે.
ઉત્તરપક્ષ :- તો પછી વિશ્વની વિચિત્રતા કર્મકૃત છે એવું જ સિદ્ધ થયું. અંતર્ગડુ એવા મહાદેવે તો શું કર્યું ? આ તો એના જેવું થયું કે કોઈ કરવેરો આપવો ન પડે એટલે બીજે રસ્તે ફરી ફરીને જવા આખી રાત પ્રયત્ન કરે પણ છેલ્લે તો સવાર પડ્યે જકાતનાકા પાસે જ આવીને ઉભો રહે. તમે કર્મવાદનો ઈન્કાર કરવા અને ઈશ્વરને સર્જનહાર તરીકે પુરવાર કરવા ઘણા પ્રયત્નો કર્યા પણ છેલ્લે તો તમે કર્મવાદના શરણે જઈને અમારા મતનો સ્વીકાર કરી
લીધો છે. આયુષ્માન હો... સુસ્વાગતમ્.
તમે આટલા શરમાઈ કેમ જાઓ છો ? ચાલો, જવા દો એ વાત. અમને એટલું કહો કે એ ભગવાન જાણીને વિશ્વસર્જન કરે છે
કે અજાણતા ? છેલ્લો વિકલ્પ તો ન માની શકાય. કારણ કે તેમ કરીએ તો ઈશ્વરના સર્વજ્ઞપણાનો વ્યાઘાત થઈ જાય. અને જો પહેલો વિકલ્પ સ્વીકારો તો એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે જેઓ વિશ્વને ઉપદ્રવ કરે છે, પાછળથી પણ ભગવાનને જ જેમનો પરાજય કરવા તકલીફ લેવી પડે છે એવા અસુરોને તે કેમ બનાવે છે ? જેઓ ઈશ્વરનો આટ આટલો પ્રતિક્ષેપ કરે છે, તેવા અમારા જેવાને પણ કેમ બનાવે છે ?
५५
તમે ઘડીકમાં આકાશને જુઓ છો, તો ઘડીકમાં નીચે જમીન તરફ જુઓ છો. અમારી સામું જુઓ ને ? ચાલો, અમે તમને અલગ પ્રશ્ન કરીએ, ઈશ્વર મૂર્ત છે કે અમૂર્ત ? જો મૂર્ત હોય તો તે આપણા
વર્મસિદ્ધિઃ
वन्निष्क्रियत्वेन सुतरामकर्तृत्वम् । एवं सरागपक्षेऽपि कर्तृत्वमस्मदादिवन्न पुज्यते वीतरागपक्षे तु विधर्वपित्र्यं कथं घटयति, वीतरागत्यादेवेत्यलमतिपल्लवितेन ।
''
५६
नाप्यदृष्टस्य सुखदुःखादिकर्तृत्वं घटते, तथा हि- पुरुषाद् भिन्नमभिन्नं वादष्टम् अभिनं चेत् ? पुरुषापति मि त् ? सचेतनमचेतनं बा? सचेतनं चे ? एकस्मिन् शरीरे चेतनापत्ति, अचेतनमिति चेत् ? न, अस्वतन्त्रस्य सुखदुःखं प्रति कर्तृत्वाभावादिति ।
""
तथा चोक्तम्
જેવો થઈ ગયો. તેથી જેમ આપણે જગતનું સર્જન નથી કરી શકતા, તેમ તે પણ ન કરી શકે. અને જો અમૂર્ત હોય, તો તો તે આકાશની જેમ નિષ્ક્રિય છે. માટે તે સુતરાં અકર્તા છે.
હજુ એક પ્રશ્ન કરીએ છીએ કે તે ઈશ્વર સરાગ છે કે વીતરાગ ? જો સરાગ છે, તો આપણી જેમ તે પણ જગત્કર્તા નહીં બની શકે. અને વીતરાગ હોય તો તે વિશ્વની વિચિત્રતા શી રીતે રહે ? કારણ કે તે વીતરાગ જ છે. વીતરાગ તે કાંઈ કોઈને સુખી ને કોઈને દુઃખી બનાવે ખરો ? અરે, તમે આટલા બધા ઢીલા કેમ થઈ ગયા ? જવા દો. આ ચર્ચાને આપણે અહીં જ સમાપ્ત કરી દઈએ.
નિયતિવાદી કૃત કર્મવાદ પ્રતિક્ષેપ :
વળી ‘કર્મ સુખ-દુઃખનો કર્તા છે' એવું માનવું પણ ઉચિત નથી. તે આ પ્રમાણે કર્મ જીવથી ભિન્ન છે કે અભિન્ન ? જો અભિન્ન હોય, તો જીવ જ રહેશે, જીવથી અલગ કર્મનું અસ્તિત્વ જ નહીં રહે. જો ભિન્ન છે, તો સચેતન છે કે અચેતન ? જો સચેતન છે, તો એક શરીરમાં બે જીવ માનવા પડશે. જો અચેતન છે એમ કહો, તો એ પણ ઉચિત નથી કારણ કે તે અચેતન હોવાથી અસ્વતંત્ર બની જાય, અને તેથી તે સુખ-દુઃખનું કર્તા ન બની શકે.