SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ પ્રસ્તાવ लोभमुन्मूलयन्मूलादप्रमत्तो मुनिः सदा । क्षायोपशमिके भावे स्थितोऽनुत्सक्तां व्रजेत् ॥१५॥ યોગસાર ૨૯૭ ગાથાર્થ – ક્ષાયોપશમિકભાવમાં રહેલા મુનિ મહાત્મા લોભદશાનું મૂલથી જ ઉન્મૂલન કરતા છતાં અનાસક્ત દશાવાળા (આસક્તિ દોષથી રહિત અવસ્થાવાળા) બને છે. ।।૧૫। વિવેચન – ઉત્સુકતા-અધીરાઈ-અધીરજ આ જીવનમાં મોટા દોષ છે. સાધનામાં આગળ વધવું હોય ત્યારે આ ઉત્સુકતા એ દોષ ધર્મના કાર્યોમાં વિક્ષેપ કરનારો છે. તેથી સૌથી પ્રથમ આ ઉત્સુકતા દોષનું નિવારણ કરવું જોઈએ. તે માટે ગ્રંથકારશ્રી સમજાવે છે કે - અપ્રમત્ત ગુણસ્થાનકમાં રહેલા મુનિ મહાત્મા પોતાના આત્માના સહજ સ્વભાવનો પરમ આનંદ અનુભવે છે. આત્મદશાના પરમાનંદનો અનુભવ કોઈ અપૂર્વ જ હોય છે. જે માણે તે જ જાણે એવી ઉત્તમ દશા હોય છે. પરંતુ આવા પ્રકારની અપ્રમત્ત દશાનો કાળ અંતર્મુહૂર્ત માત્ર જ છે. ત્યારબાદ પુનઃ પ્રમત્ત ગુણઠાણે ગયેલા તે મુનિ મહારાજા ક્રોધમાન-માયા-લોભ ઇત્યાદિ કષાયો ઉદયમાં આવવાથી પોતાના આત્માનું ભાન ભૂલી જાય છે. માટે જ ક્ષાયોપમિક ભાવમાં વર્તતા મુનિ લોભ આદિ કષાયોનો મૂલથી જ વિનાશ કરવા સતત પ્રયત્ન કરે છે. જ્યાં સુધી કષાયોના ઉદયનું જોર છે ત્યાં સુધી આ આત્મા પોતાનો વિકાસ કરી શકતો નથી. લોભાદિ કષાયોનો ક્ષય કરવા પ્રયત્ન કરવા છતાં પણ આ જન્મમાં ધારો કે તેનો ક્ષય ન જ થઈ શકે તો તે કષાયોને હળવા કરવા માટે તેના પ્રતિપક્ષી સંતોષ-સરળતા આદિ ગુણોનો વધારેમાં વધારે વિકાસ કરીને તે ગુણોને વધારે ને વધારે આત્મસાત્ કરીને (પ્રગટ કરીને) ઉદયમાં આવેલા લોભાદિ કષાયોનું બળ મંદ કરવું જોઈએ.
SR No.009201
Book TitleYogsaar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherDhirajlal D Mehta
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size81 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy