________________
યોગસાર
દ્વિતીય પ્રસ્તાવ
૧૦૯
કે આવા સ્થાને મધ્યસ્થ રહેવું. તેવા જીવોની હૃદયમાં દયા ચિંતવવી. આ માધ્યસ્થભાવના જાણવી. ।।૫।।
मैत्री निखिलसत्त्वेषु, प्रमोदो गुणशालिषु । माध्यस्थ्यमविनेयेषु, करुणा दुःखदेहिषु ॥६॥ धर्मकल्पद्रुमस्यैता, मूलं मैत्र्यादिभावनाः । यैर्न ज्ञाता न चाभ्यस्ता, स तेषामतिदुर्लभः ॥७॥
ગાથાર્થ - સર્વ જીવો ઉપર મૈત્રીભાવના, ગુણવાન જીવો પ્રત્યે પ્રમોદભાવના, અવિનીત (પાપી) જીવો ઉપર માધ્યસ્થભાવના અને દુઃખી પ્રાણીઓ ઉપર કરૂણાભાવના જાણવી. ॥૬॥
આ મૈત્રી આદિ ભાવનાઓ ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ છે, એમ જાણવું. જે જીવો વડે આ ચાર ભાવનાઓ જણાઈ જ નથી અથવા આ ચાર ભાવનાનો અભ્યાસ કરાયો નથી (જીવનમાં ઉતારાઇ નથી) તેઓને ફરીથી તે ધર્મ (પ્રાપ્ત થવો) અતિશય દુર્લભતર બને છે. IIIા વિવેચન મૈત્રી-પ્રમોદ-કરૂણા અને માધ્યસ્થ્ય - આ ચારે ભાવનાઓના અર્થ ગ્રંથકારશ્રી પોતે જ સમજાવે છે.
-
(૧) મૈત્રીભાવના - સર્વે પણ જીવો ઉપર મિત્રતા કરવી અર્થાત્ નાનાથી મોટા-એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના તમામ જીવો ઉપર મૈત્રી કરવી. સર્વે પણ જીવોનું કલ્યાણ-હિત કેમ થાય તેવા વિચારો કરવા. તે મૈત્રીભાવના કહેવાય છે. વંદિત્તા સૂત્રમાં જ કહ્યું છે કે “મિત્તી મે સવ્વ ભૂસું' મારે સર્વ જીવો ઉપર મૈત્રી છે. “વેર મળ્યું ન ળ'' મારે કોઈની પણ સાથે વૈર નથી. સંસારવર્તી સર્વ જીવો ઉપર મારે મૈત્રીભાવ છે, પણ કોઈપણ જીવ ઉપર વૈરભાવ-વૈમન્ય-મનદુઃખ કે અણગમો નથી.