SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ છે ને ? આ બધા ઉપર રાગ ન હોય તે સગો છોકરો હોય તોય ગમે નહિ ને ? તેને સમજાવવા છતાંય ન સમજે અને વિપરીત થાય તો કહી દો કે “તું ચાલ્યો જા. તું મારો દિકરો નહિ અને હું તારો બાપ નહિ.' પોતાનો જ સગો દિકરો દેવ-ગુરુ-ધર્મને ન માને તે ધર્મી બાપને ગમે ખરું ? આને જ સમકિતી કહેવો છે. ધર્મીને ધર્મીનો જ સહવાસ ગમે, અધર્મીનો સહવાસ ન ગમે. ધર્મીને દેવ-ગુર્ધર્મના નિંદક સાથે બેસવાનું પણ ન ગમે કે મન પણ ન થાય. તમારી પેઢી ઉપર દેવાળિયો આવે તો વાત કરો ખરા ? તેને પણ કહી દો ને કે, “વાત કરવી હોય તો ઘેર આવ જે. નહિ તો મારી પેઢી પણ ઉડશે. આવી અક્કલ ધરાવનારા તમે દેવ-ગુરુ-ધર્મના નિંદક સાથે બેસો તે ચાલે ? આપણા બધામાં રાગ અને દ્વેષ છે તેને ઓળખવા પડશે. કોના ઉપર મને અતિ રાગ છે ? કોનો સહવાસ મને ગમે છે ? કોની સાથે બોલવું-બેઠવું-ઊઠવું મને ગમે છે ? આ બધો વિચાર કરો તો ન સમજાય તેવું છે ? તમે બધા ડાહ્યા અને સમજુ છો પણ ઇરાદાપૂર્વક સમજણનો ઉપયોગ નથી કરતા ને ? જેને સાચું-ખોટું સમજવાની ઇચ્છા નહિ તેને ધર્મનો રાગ છે તેમ કહેવાય નહિ. જેને ન સમજાય તે જ્ઞાની કહે તેમ કરે તો તેનું કલ્યાણ થઇ જાય. મારે આડે માર્ગે ચાલવું નથી, ઊંધું કાંઇ કરવું નથી તો તે ધર્મ પામી જાય. મન શુદ્ધિ કરવી હશે તેને પોતાના રાગ અને દ્વેષ ઓળખવા પડશે. રાગ ક્યાં કરવા જેવો છે, દ્વેષ પણ ક્યાં કરવા જેવો છે-તે નક્કી કરવું પડે. તમને ઘર મળ્યું તે પુણ્યોદય પણ ઘરમાં રહ્યા છો તે પાપોદય છે, ઘર સારું મળ્યું તે પુણ્યોદય પણ ઘર ગમે તે પાપોદય-આ વાત સમજાઇ છે ને ? આપણામાં હજી રાગ-દ્વેષ છે, તે રાગ-દ્વેષ ખોટી જગ્યાએ હોય તો આપણને મારશે. અવસરે તમે કોના પક્ષમાં રહો ? ભગવાનના કે ગમે તેના ? સાચું-ખોટું સમજ્યા વિના કોઇનો પણ આગ્રહ કરો ખરા ? આ બાબતમાં હું કાંઇ જાણતો નથી, સમજતો નથી માટે મારા ગુરુ મહારાજને પૂછીને કહીશ-તેમ પણ કહો ખરા ? જે ધર્મ કરનારા અજ્ઞાન હોય પણ પોતાના ગુરુ મહારાજને પૂછી પૂછીને વર્તે, તો તેનું કલ્યાણ થઇ જાય.પણ જે સ્વયં સમજે નહિ, જ્ઞાનીને પૂછે પણ નહિ અને ઠોકે રાખે, ગમે તેમ વર્તે તો તેનું તો અકલ્યાણ જ થાય. સત્યનો અર્થી કેવો હોય ? ન સમજાય ત્યાં સુધી હું સમજ્યો છું તેમ કહે નહિ, ન સમજ્યો હોય તેવી વાત કદિ બોલે પણ નહિ અને સમજ્યા પછી સત્ય માટે પણ આપવા પણ તૈયાર થઇ જાય. જે ન સમજાય ત્યાં સુધી કાંઇપણ બોલે નહિ તો તે સારો છે પણ વગર સમજે જે બકબક કરે તે તો પોતે ય ડૂબે અને બીજાને પણ ડૂબાડે. અમે પણ શાસ્ત્ર ન સમજાય તો બોલીએ નહિ. સમજાયા પછી જ બોલીએ. આપણા ભગવાને તો સુખમય સંસારને પણ ભૂંડો કહ્યો છે. સુખમય પણ સંસાર ભૂંડો જ છે તેમ હૈયામાં બેસે તો ધર્મ આવે. સંસાર મજેનો લાગે તો તમને તમારો પાપોદય લાગવો જોઇએ પણ સંસાર સારો તો ન જ કહેવાય. આ અસાર સંસારમાં સાર ધર્મની સામગ્રી છે તેમ કહ્યું છે પણ સંસાર સારો નથી કહ્યો. રાગ-દ્વેષની પરાધીનતા, વિષય-કષાયની આધીનતા તે જ સંસાર છે ને ? આ સંસાર કોઇ રીતે સારો નહિ, નહિ ને નહિ જ ને ? જો અમને ય સંસારનું સુખ ગમે તો ઓઘો લાજે. તમને ય સંસારનું સુખ ગમે તો ચાંલ્લો લાજે. તમારી પૂજા પહેલી અને ભગવાનની પૂજા પછી, કેમ ? ભગવાનની આજ્ઞા માથે ચડાવ્યા. Page 72 of 77
SR No.009188
Book TitleSamyak Tapnu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages77
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy