________________
વિના ભગવાનને અડાય પણ નહિ તે ખબર છે ને ? “ભગવાન જે કહી ગયા છે તે જ સાચું છે અને શંકા વિનાનું છે, આવું જેને સમજાયું હોય તેને જ ભગવાનને અડવાનો સાચો હક છે. જે ભણેલાને પણ આવું ન સમજાયું હોય તેને ભગવાનને અડવાનો હક નથી. જે ભણેલા ભગવાનની આજ્ઞા ન માને તે તો આપોઆપ શ્રી સંઘની બહાર છે, શ્રી સંઘમાં પેસી ગયેલા છે. મંદિર-ઉપાશ્રયે જાય, ભગવાનની આજ્ઞા માને નહિ, સુસાધુની આજ્ઞા માને નહિ, ફાવતા ગુરુની આજ્ઞા માને તે શ્રી. જૈનશાસનમાં ચાલે જ નહિ. જેનું મનયુધ્ધ હોય તેને જ આ બધું સમજાય, બીજાને નહિ. માટે મનશુદ્ધ કરવા પ્રયત્ન કરો તે જ શુભેચ્છા.
Page 73 of 77