SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ય ખરા અને ન પણ આપે તેને કેવા કહેવાય ? જેને દુનિયાદારીની ચીજો ઉપર પ્રેમ હોય તેને ધર્મ ઉપર પ્રેમ ન હોય. દુનિયાદારીનો પ્રેમ ખટકે તો સમજવું કે-ધર્મ આવ્યો લાગે છે. બાપની ભક્તિ કરવાની આજ્ઞા ખરી પણ સ્વાર્થના કારણે બાપની ભક્તિ કરવી તે પાપ છે. આત્માના ખરેખરા શત્રુ રાગ અને દ્વેષ બે છે. આ રાગ અને દ્વેષે આપણને પાગલ બનાવ્યા છે. જે આપણને સાચવે તેના ઉપર રાગ, જે ન સાચવે તેના ઉપર દ્વેષ. જે આપણા કામમાં આવે તેના ઉપર રાગ, જે કામમાં ન આવે તેના ઉપર દ્વેષ. આવા રાગ-દ્વેષ જીવતા હોય ત્યાં સુધી સંસારમાં ભટકવું જ પડે, ઇચ્છા હોય કે ન હોય તો પણ નરકાદિમાં જવું જ પડે. તે રાગ-દ્વેષનો બાપ મોહ છે. ક્રોધ-માન-માયા-લોભ, કામ, ઈર્ષ્યાદિ તેનો પરિવાર છે. તે તમારી પાસે હિંસા, ચોરી, જૂઠ આદિ બધાં જ પાપો મજેથી કરાવે, કરવા જેવા મનાવે. તમારી પાસે બેસનાર પણ જો ખોટું કરે તો તેને સાચું કહેવાની તમારી ત્રેવડ છે ખરી ? તમે જાણો તોય તેની સાથે બગાડો ખરા ? જે માણસ સારો હોયતેને ખરાબ માણસ ગમે શી રીતે ? તેની સાથે બોલવું પણ શી રીતે ફાવે ? પણ જો તે તમને નુક્શાન કરનાર લાગે તો તેની સાથે સંબંધ તોડી પણ નાખો ને ? તમને જો તમારા જ નુક્શાનની કિંમત હોય અને ધર્મના નુક્શાનની કિંમત પણ ન હોય તો તમને ધર્મી પણ કોણ કહે ? ભગવાનની સેવા કરનારને, ભગવાનની નિંદા કરે તેની સાથે બેસવાનું મન થાય ખરું ? ગુરુની સેવા કરે તેને ગુરુની નિંદા કરે તેની સાથે બેસવાનું મન થાય ખરું? જે ધર્મ કરીએ તે ધર્મની નિંદા કરે તેની સાથે પણ બેસવાનું મન થાય? આવું થાય તો તે જીવ ધર્મ પામેલો કહેવાય ? મોહ રાજાએ પોતાનું આખું રાજ્ય રાગ-દ્વેષને સોંપી દીધું છે. દરેકે દરેક આત્મામાં રાગ-દ્વેષ બેસેલા છે. સંસારના બધાં તોફાન રાગ-દ્વેષથી છે. જે આત્મા ભગવાનનો ધર્મ પામે તે જ મજામાં હોય, દુનિયાના સુખનો અને તે સુખના સાધન ઉપરનો રાગ ભંડો લાગે તો સમજી લેવું કે તે આદમી ધર્મ પામવા લાયક છે. તમને તમારા પૈસા-ટકા-બંગલા-બગીચા-કુટુંબ-પરિવાર, શરીર આદિ ઉપર રાગ થાય તો લાગે કે- આ મારી નાખશે. શરીરાદિ ઉપર રાગ વધારે છે કે ધર્મ ઉપર રાગ વધારે છે ? શરીરથી ધર્મ વધારે કરો કે શરીર માટે ધર્મને છોડી પણ દો ? ધર્મ ખાતર મરી. જાય પણ ધર્મ ન છોડે તેવા કેટલા મળે ? પોતાની ખૂબ સેવા-ભક્તિ કરે તે ખોટે માર્ગે જતો હોય તો તે ય ન ગમે તેવા કોણ હોય ? જે દેવ-ગુરુ-ધર્મની સેવા બરાબર ન કરે, અધર્મ મજેથી કરે તો તેને ય છોડી દો ખરા ? તેને ય કહી શકો કે-આ ગમતું નથી. તમારે તમારી સાથે બેઠનારા કેવા જોઇએ ? ભગવાનના કહેવરાવે અને ભગવાનની આજ્ઞા ન માને તેને શું પૂજવાના છે ? ભગવાનની આજ્ઞા ન માને તે સાધુપણું પાળીને ય દુર્ગતિમાં જવાના છે. કદાચ સદ્ગતિમાં જાય તો સંસારમાં વધારે ભટકવું છે માટે જાય. આપણે કષાયોને જીતવા છે. તે માટે ઇન્દ્રિયોને જીતવી છે. તે જીતવા મન શુદ્ધ કરવું છે. તે માટે રાગ-દ્વેષ જીતવા છે. આપણો રાગ ક્યાં છે ? દેવ-ગુરુ-ધર્મ-ધર્મી અને ધર્મનાં સાધનો ઉપર જ છે ને ? દેવ કોણ ? શ્રી અરિહંત પરમાત્મા જ. ગુરુ કોણ ? શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞા મુજબ જીવનારા જ. ધર્મ કયો ? શ્રી અરિહંત પરમાત્માએ કહ્યો તે જ, બીજો નહિ. આ બધા ઉપર જ રાગ Page 71 of 77
SR No.009188
Book TitleSamyak Tapnu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages77
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy