SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના એ પણ ભગવાનની પૂજા છે. સંસારનું સુખ ભોગવવા છતાં ભોગવવા જેવું નથી આવો વિચાર પણ ભગવાનની પૂજા છે.' આવા જીવને દુઃખ આવે તો ય ગભરામણ ન થાય, ઉપસર્ગ આવે તો ય મજેથી વેઠે અને વિઘ્નોથી તો ડરે જ નહિ. તમે પણ તેવી દશા ભગવાનના ભગત બની કેળવો તો ઉપસર્ગો ઉપસર્ગ ન રહે, વિઘ્નો વિઘ્ન ન રહે અને સદા પ્રસન્નતામાં જ રહે. પછી તેવો જીવ સાધુ ન થઇ શકે તોય મરતી વખતે આનંદમાં હોય કેમકે છોડવા લાયક છોડ્યું નહિ તે ભૂલ કરી. હવે છોડવાનો દા'ડો આવ્યો તેનો આનંદ હોય. આવો વિચાર પણ રોજ છોડવાનો વિચાર હોય તેને આવે. તમે સૌ આવી દશાને પામો. તમે બધા ભગવાન આગળ રાગ કાઢી ગાવ છો, નાચો છો, કૂદો છો તો એમ માનો છો કે ભગવાન ઓળખતા નહિ હોય ? તમે બધા ભગવાન આગળ નાચી, કૂદી ભગવાનની આજ્ઞાથી વિરૂધ્ધ વર્તો તો ભગવાનને ઠગ્યા કહેવાય ને ? ભગવાનને ઠગનારાની પૂજા ફ્લે ? આપણને આવી સારી સામગ્રી મળી છે, તેને સફ્ળ કરી જીવીએ અને મરીએ તો દુર્ગતિ બંધ થાય, સદ્ગતિ કાયમી થાય અને ઠામ ઠામ ભગવાનનો ધર્મ મળે. જેથી થોડા જ કાળમાં સંસારથી છૂટી, મોક્ષે પહોંચી જઇએ. સૌ આ સમજી આજ્ઞા મુજબ જીવન જીવી વહેલામાં વહેલા મોક્ષને પામો તે જ શુભાભિલાષા. Page 48 of 77
SR No.009188
Book TitleSamyak Tapnu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages77
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy