________________
બહાર કાઢી મોક્ષે મોકલવાની ઇચ્છા થઇ માટે. એ તારકોના હૈયામાં એ ભાવ આવ્યો કે, “મારામાં જો શક્તિ આવે તો બધાના હૈયામાંથી સંસારનો રસ કાઢી, મોક્ષનો રસ ભરી દઉં.' હૈયામાં જો શાસનનો રસ ન આવે તા મોક્ષ મેળવવાનું મન થવાનું નથી, મોક્ષ માટે ઉધમ થવાનો નથી અને મોક્ષ મળવાનો નથી. આ ઉપકાર શ્રી અરિહંત પરમાત્માઓનો છે તેમનો આ સ્નાત્ર મહોત્સવ છે.
તમારો છોકરો પૂછે કે, આ સંસાર રહેવા જેવો નથી અને મોક્ષ જ મેળવવા જેવો છે તેમ ભગવાન કહી ગયા છે. તો તમે સંતાનોને કહો ને કે- “આ મનુષ્યભવ મોક્ષ મેળવવા માટે જ છે, તે માટે સાધુ થવા માટે છે. તે મળે માટે જ આ સ્નાત્ર પૂજા, ભગવાનની ભક્તિ કરવાની છે.” આ વાત તમે સંતાનોને કહી છે ? આત્માને પણ કહી છે ? જો આ વાત તમે સંતાનોને ન કહો, આત્માને ય ન કહો તો તેનો એક જ અર્થ છે કે, આ “સ્નાત્ર' તમે રિવાજ મુજબ ભણાવો છો એટલું જ નહિ પણ ભગવાને જેનો ત્યાગ કરવાનું કહ્યું તે મેળવવા માટે ભણાવો છો માટે આજ્ઞાનો ભંગ કરો છો. આ રીતે કરો તો સંસાર ઘટે કે વધે ? સંસાર ઘટાડનાર ક્રિયા સંસાર વધારવા કરે તે બુદ્ધિમાન કહેવાય ? બેસતું વર્ષ, બેસતે મહિને, દર રવિવારે, દરરોજ સ્નાત્ર ભણાવનારનો સંસારનો રસ ઉડી જ જવો જોઇએ. “સંસારનો રસ જ ન હોય તે સંઘ” ભગવાનના સંઘમાં તેની જ ગણના થાય, જેના હૈયામાં સંસારનો રસ ન હોય. જેના હૈયામાં સંસારનો રસ હોય તો તે-સાધુ હોય તો સાધુ નથી, સાધ્વી હોય તો સાધ્વી નથી, શ્રાવક હોય તો શ્રાવક નથી, શ્રાવિકા હોય તો શ્રાવિકા નથી. અમારે સાચા સાધુ-સાધ્વી બનવું છે, તમારે સાચા શ્રાવક-શ્રાવિકા બનવું છે તેમાં શંકા છે ? આટલી સારી સામગ્રી મળ્યા પછી પણ સાધુ-સાધ્વી કહેવાતા સાધુ-સાધ્વી ન બને, શ્રાવક-શ્રાવિકા કહેવાતા. શ્રાવક-શ્રાવિકા ન બને તો આ જન્મ એળે જાય એમ નહિ પણ મહાનુક્શાન કરનાર થાય.
આપણાં અનંતા શ્રી અરિહંત પરમાત્માઓ મોક્ષે ગયા, તેમની આજ્ઞા પાળી પાળીને બીજા અનંતા આત્માઓ મોક્ષે ગયા, સદા આત્મસ્વરૂપમાં રમણતા કરે છે, તેવા સ્થાને પહોંચી શકાય તેવી સઘળી સામગ્રી આપણને મળી છે છતાં ત્યાં જવાનું મન ન થાય તો સમજી લેવું કે આપણે ભારેકર્મી છીએ. આપણાં ભારેકર્મ હલકા બનાવવા એ આપણા હાથની વાત છે. ભગવાનનું શાસન અને ભગવાને બતાવેલી ધર્મક્રિયાઓ કર્મને હલકા બનાવનાર છે. આ વાત સમજાઇ જાય તો શાસનને પામેલો જે આત્મા શ્રી જિનેશ્વરદેવની પૂજા કરે તો તેનું મન સદા પ્રસન્ન જ હોય. દુઃખમાં તે મજામાં હોય, સુખમાં તેને મજા આવે નહિ. “સુખની મજા આત્માને અમજા પેદા કરનારી છે. જેને દુ:ખમાં મજા આવે અને સુખમાં મજા ન આવે, તે જીવ સદા મજામાં હોય.” આપણને સુખમાં મજા આવે છે અને દુ:ખમાં અમજા આવે છે. આપણે આ દશા પલટવી છે. આ દશા જો પલટાઇ જાય તો પછી ઉપસર્ગો ઉપસર્ગ ન રહે, વિપ્નો વિઘ્ન ન બને. તેને તો ઉપસર્ગો મોક્ષે મોકલનારા બને અને વિજ્ઞો આત્માને બળવાન બનાવનારા બને.
“ઉપસર્ગો: ક્ષય યાત્તિ, ધિત્તે વિજ્ઞવલ્લયઃ |
મન:પ્રસન્નતામતિ, પૂજ્યમાને જિનેશ્વરે ” શ્લોકનો આ જ ભાવ છે.
તમે જિનેશ્વરની પૂજા રોજ એકદા બે કલાક કરો છો. પણ મારે તો કહેવું છે કે ચોવીશેયા કલાક ભગવાનની પૂજા કરો છો. “આ સંસારના કોઇ કામ કરવા જેવા નથી, ક્યારે છૂટે, તેવી
Page 47 of 77