________________
પણ આનંદમાં હોય, તેનો પરલોક સુંદર બને અને પરમપદ નજીક બને. આ ચારે વસ્તુ જે જીવમાં આવે તેનો તપ શુદ્ધ કોટિનો બને. સૌ કોઇ તે પ્રમાણે તપ કરતા થાય અને શ્રી જિનાજ્ઞાને જીવનમાં ઉતારે તે ભાવના સાથે પૂર્ણ કરવામાં આવે છે.
સિં. ૨૦૩૨ ના શ્રાવણ વદ-૫ ને રવિવાર તા.૧૫-૮-૭૬ ના રોજ માસક્ષમણાદિ તપશ્ચર્યા કરનાર તપસ્વિઓના પારણા પ્રસંગે આપેલ પ્રાસંગિક પ્રવચન :]
શ્રી વીતરાગ પરમાત્માના શાસનમાં દાન-શીલ-તપ અને ભાવરૂપ ચાર પ્રકારનો ધર્મ કહ્યો છે. તેમાં તપ ધર્મનું માહાભ્ય ઊંચામાં ઊંચું છે.
ખરેખર વિચાર કરવામાં આવે તો તપ એ શરીરની મૂચ્છ ઉતારવા માટે કરવાનો છે. અનાદિ કાળથી આત્મા પર બેઠેલો મોહ અનેક જાતિની પાપસ્વરૂપ ઇચ્છાઓ પેદા કરાવે છે, આ ઇચ્છાઓનો વિરોધ કરવો એજ વાસ્તવિક કોટિનો તપ છે. ભગવાનના શાસનમાં ક્રમાવેલ તપ જો
Page 15 of 77