SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ એજ ઉપાય છે. જેને દાન દેવાનું મન ન થાય તેવો પસાવાળો બીજો ધર્મ કરતો હોય તો સમજી લેવું કે તેને ધર્મ સાથે કાંઇ જ લેવા દેવા નથી. તેના ધર્મમાં કાંઇ માલ નથી. આજે સાચા દાનાદિ ધર્મો નાશ પામી રહ્યા છે. મારે તમને સાનુબન્ધા જિનાજ્ઞા સમજાવવી છે. તમને દાન દેતાં આનંદ આવે, જેટલું દેવાય તે ઓછું લાગે, પાસે રહે તે ખરાબ લાગે ત્યારે દાન ગુણ આવે. દુનિયાના ભોગોમાં શું બન્યું છે, પાંચ ઇન્દ્રિયોના મનોહર વિષયો આત્માના ભાવપ્રાણોનો નાશ કરનારા છે આમ થાય ત્યારે શીલગુણ આવે. ખાવાપીવાના રસે મારી ઇન્દ્રિયો ભટકતી થઇ છે, આ તપના પ્રભાવે મારામાં એવી શક્તિ આવે કે મારી લાલસાઓ મરી જાય, ઇચ્છાઓનો નાશ થાય. આવું મન થાય ત્યારે તપ ગુણ આવે. પછી તો તેને ભગવાનની આજ્ઞા પર બહુમાન થાય, આજ્ઞા મુજબ વર્તન કરાય તેનો આનંદ થાય, આજ્ઞા મુજબ ન વર્તાતું હોય તેનું દુ:ખ રહ્યા કરે ક્યારે આજ્ઞા મુજબ વર્તાય એવું મન થયા કરે તેવો જીવ સાનુબન્ધા જિનાજ્ઞાવાળો કહેવાય. આ ચારે ગુણો જેનામાં આવે તેનો તપ શુધ્ધ કોટિનો કહેવાય. મોટોભાગ તપનાં પારણાં કરાવવા આવ્યો છે તો તે વ્યવહારથી આવ્યો છે ? તેમને થાય કે, ધર્મી ભાઇઓએ ધર્મના કામમાં સહાય આપવા મને આમંત્રણ આપ્યું તે મારું અહોભાગ્ય છે. આ ભાગશાળીઓએ ૧૩-૧૩ મહિના તપ કર્યો અને હું એવો અક્કરમી છું કે મને તપ કરવાનું મન પણ થતું નથી. તપના પારણા કરાવવા આવેલા અહીં ખરેખર જૈન તરીકે જીવતાં હશે ને ? રાતના ખાતા નહિ હોય ને ? મારે તમને ભગવાનની આજ્ઞાનો મહિમા સમજાવવો છે. રોજ ખાય તે સુખી કે તપ કરે તે સુખી ? આ તપ કરનારા જીવને બ્રહ્મચર્યમાં આનંદ આવ્યો એટલે ઘણા તપસ્વી સદા માટે બ્રહ્મચારી થવાના ! શ્રી જિનની ભક્તિપણ અનુપમ કરવાના ! સુખી લોકો જ્યાં વસતા હોય ત્યાં સાધારણના ડાળાં કરવા પડે ? જે દ્રવ્ય જ્યાં ઉપયોગમાં આવે ત્યાંજ ઉપયોગમાં લેવાય તે અંગે મેં યોજના બતાવી છે. ૧૨ મહિને જે ૧૦૦૦ રૂા. ખાતા હોય તે ૨૫ રૂા. સાધારણ ખાતે આપી દે. બધા જ ઉદાર થઇ જાય અને ખાધા ખરચી મુજબ પચ્ચીશી આપતાં હોય તો, તમને લાગે છે કે જૈનસંઘ દરિદ્રી છે ? આજે જ્યાં જઇએ ત્યાં સાધારણનાં તોટાનો પોકાર સાંભળવો પડે છે. તમે લોકો સાધુની ભક્તિા કરો, મોટા મોટા સામૈયા કાઢો તેમાં જે સાધુ રાજી થાય તે મોટેભાગે દુર્ગતિમાં જવાનો. તમે આ પચ્ચીશીની યોજનાનો સ્વીકાર કરો તો પછી ટીપ કરવી પડે નહિ. અષ્ટ પ્રકારની પૂજાની બોલીઓ. શરુ કેમ કરવી પડી ? કેસર, ચંદનના પૈસા ખૂટતા હતા માટે. પૈસા કેમ ખૂટતા હતા ? બધા સુખી લોકો મોજમજામાં પડી ગયા માટ. અમે જોયું છે કે, આગળ ડોશીઓ દર્શન કરવા જતી તો ઘી લઇને જતી. તેનું વેચાણ થાય તો મંદિરનો નિર્વાહ થાય તેટલા પૈસા ઉપજતા. સાધુ જો સુખી ગૃહસ્થોની દયા ખાય તો તે સાધને પરિગ્રહનું પાપ લાગે અને પોતાના કામ માટે ગૃહસ્થ પાસે પૈસા ખરચાવે તો પરિગ્રહનો દોષ લાગે. આ તપ કરનારાને ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાનો, કષાયો પર કાબૂ મેળવવાનો ભાવ થાય તો ય આ જનમ સુધરી જાય. પછી તો તે શ્રીમંત હોય તો ઉદાર બને અને ગરીબ હોય તો સંતોષી બને. અને પરમાત્માની આજ્ઞાના પાલનનો એવો આનંદ આવે કે મરતાં સુધી આનંદમાં જીવે, મરતી વખતે Page 14 of 77
SR No.009188
Book TitleSamyak Tapnu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages77
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy