SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ આથી સુખ દુ:ખા વ્યાબાધ=પીડા) પીડા વગરનું, નિર્વેદવેદવામાં-સહવામાં નીય-નિરપાધિક અનંત સુખ; કારણકે આવે છે. આ આનંદમાં સુખદુ:ખ હોતું નથી. ૮. આયુષ્ય અક્ષય સ્થિતિ, આયુષ્ય કર્મનો નાશ થવાથી સિધ્ધ થવાય છે, અને બીજો જન્મ થતો નથી, તેથી સિધ્ધની અવસ્થા સાદિ અનંત છે. નોટ - પાંચથી આઠ આંકડાવાળાં કર્મો અઘાતી છે, એટલે ધનઘાતી નથી. ઉપર કહ્યા પ્રમાણે આઠ કર્મ ક્ષય કરવાથી-ખપાવવાથી જે આઠ ગુણો પ્રાપ્ત થાય છે, તે સિધ્ધના ગુણો છે. આ કર્મ મુખ્ય રીતે આઠ છે, અને બીજી રીતે જોતાં અનેક છે, પણ તે સઘળાનો સમાવેશ ઉક્ત આઠ કર્મોમાં થાય છે; આ આઠને પરિપૂર્ણ જાણતાં અનેક કર્મોની પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ વગેરેને યથાર્થ જાણી શકાય છે. સિધ્ધ ભગવાનના આઠ ગણો (૧) જ્ઞાનગુણ-જ્ઞાનાવરણીય કર્મ ક્ષય થવાથી લોકાલોકનું સ્વરૂપ વિશેષપણે જેનાવડે જાણે તે. (૨) દર્શનગુણ-દર્શનાવરણીય કર્મક્ષય થવાથી કેવલ દર્શનની ઉત્પત્તિ થવાથી, લોકોનું સ્વરૂપ સારી રીતે દેખે તે. (3) અવ્યાબાધ સુખ-વેદનીય કર્મ ક્ષય થવાથી સર્વ પ્રકારે બાધા રહિત, નિરપાધિક અનંત સુખ ઉત્પન્ન થાય તે. (૪) લાયક સમ્યક્ત્વ મોહનીય કર્મ ક્ષય થવાથી, જે ઉત્પન્ન થયુ તે. (૫) અક્ષય સ્થિતિ - આયુકર્મનો ક્ષય થવાથી, જે સ્થિતિ ઉત્પન્ન થઇ તે રૂપ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રહિત થયા તે. (૬) અરૂપી, નામ કર્મક્ષય થવાથી. (૭) અગુરુલઘુ - ગોત્ર કર્મનો ક્ષય થવાથી, હળવો ભારે તેમજ ઊંચ-નીચપણું તેનામાં નથી તે. (૮) વીર્ય - અંતરાયકર્મનો ક્ષય થવાથી તેમને સ્વાભાવિક આત્માનું અનંત બળ હોય છે, જે બળે લોકનું અલોક અને અલોકનું લોક, કરી નાખે, તેવું બળ હોય તે. એ પ્રકારે સિધ્ધ ભગવાનના આઠ ગુણો કહ્યા. બીજા પણ સિધ્ધ ભગવાનના એકત્રીસ ગુણો. ૫. સંસ્થાનરહિત. ૩. વેદરહિત. ૫. વર્ણરહિત. ૧. શરીરરહિત. ૨. ગંધરહિત. ૧. સંગરહિત. ૫. રસરહિત. ૧. જન્મરહિત. ૮. સરહિત. બીજા પણ એડીશ ગુણો. પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય કર્મથી રહિત. નવ પ્રકારના દર્શનાવરણીય કર્મથી રહિત. Page 29 of 50
SR No.009182
Book TitleNamaskar Mahamantranu Swarup Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy