________________
તેમાં પણ એજ રીતે બે હજારવાર જન્મ મરણ કરે આ રીતે ૩૫૦ ભેદોમાં બબ્બે હજાર વાર જન્મ મરણ કર્યા કરવાથી સાત લાખ જીવાયોનિ થાય છે. આ રીતે જીવો અત્યાર સુધીમાં અનંતી વાર ભટકીને આવ્યા હવે ભટકવા ન જવું હોય તો ખ્યાલ રાખી સાવચેત થવા જેવું છે.
वायोरपि सप्त योनिलक्षाः सप्त च कुलकोटिलक्षाः वेदना अपि शीतोष्णादिजनिता (III Ud,
‘વાયુકાય જીવોની પણ યોનિ અને કુલકોટિ સાત લાખ છે તથા શીત અને ઉષ્ણ આદિથી ઉત્પન્ન થયેલી વેદનાઓ પણ તે જીવોને અનેક પ્રકારની હોય છે. વાયુકાયની વેદના
આ પ્રમાણે તેજસ્કાયપણા' ને પામેલા જીવોના ત્રાસના પ્રકારોનું વર્ણન કર્યા પછી ‘વાયુકાય જીવોની વેદનાઓનું વર્ણન કરતાં એજ સર્વતંત્ર સ્વતંત્ર સૂરિપુરંદર ફરમાવે છે કે
"वायुकायत्वमप्याप्ता, हन्यन्ते व्यजनादिभिः । #ldWIT/
દિયોદ, વિપળો #gો //9// प्राचीनाद्यास्तु सवेंडपि विराध्यन्ते परस्परम् ।
मुखादिवातैर्याध्यन्ते, पीयन्ते चोरगादिभिः ////" વાયુકાય પણાને પણ પામેલા જીવો – ‘૧-પંખાદિકથી હણાય છે, ર-શીત અને ઉષ્ણ આદિ દ્રવ્યોના યોગથી ક્ષણે ક્ષણે મરણ પામે છે, ૩-પૂર્વ દિશા આદિના પવનો તો સઘળાય પણ પરસ્પર અથડાઇ અથડાઇને મરણ પામે છે : અર્થાત્ પૂર્વ દિશાનો પવન પશ્ચિમ આદિના પવન સાથે, પશ્ચિમ દિશાનો પવન પૂર્વ આદિના પવન સાથે, ઉત્તર દિશાનો પવન દક્ષિણ આદિના પવન સાથે, દક્ષિણ દિશાનો પવન ઉત્તર આદિના પવન સાથે, ઉર્ધ્વ દિશાનો પવન અધો દિશા આદિના પવન સાથે અને અધો દિશાનો પવન ઉર્ધ્વ દિશા આદિના પવન સાથે, એમ અનેક રીતિએ પરસ્પર અથડાઇને વાયુકાયના જીવો વિનાશ પામે છે, ૪-મુખ આદિના પવનથી પણ વાયુકાયના જીવો બાધા પામે છે અને પ-સર્પ આદિ પણ એ જીવોનું પાન કરી જાય છે.'
વાયુકાય જીવોનું વર્ણન સમાપ્ત
વનસ્પતિ કાય જીવોનું વર્ણન.
વનસ્પતિકાય જીવોનાં ભેદો હોય છે. (૧) સાધારણ વનસ્પતિકાય (૨) પ્રત્યેક વનસ્પતિકાય. સાધારણ વનસ્પતિકાય જીવોનું વર્ણન.
સાધારણ વનસ્પતિ- એક શરીરમાં અનંતા જીવો રહેલા હોય અર્થાત્ અનંતા જીવોના સમુદાય વચ્ચે એક શરીરની પ્રાપ્તિ થવી તે સાધારણ વનસ્પતિ કહેવાય.
સાધારણ વનસ્પતિ-નિગોદ-અનંતકાય-લીલફૂગ-કંદમૂળ આ વગેરે શબ્દો પર્યાય વાચી એટલે એનાર્થ વાચી ગણાય છે.
Page 39 of 234