SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સુધી વાયુકાયમાં ફર્યા કરે છે અને અત્યંત આસક્તિ પૂર્વક પવનમાં રાગ રાખી ને જીવનારા જીવો જઘન્ય જઘન્ય આયુષ્ય રૂપના અનુબંધો ભવની પરંપરાના બાંધીને અસંખ્યાતા કાળચક્રો સુધી રખડ્યા કરે છે. જે જીવોને એકેન્દ્રિયપણામાં જવા લાયક અત્યંત સંકિલષ્ટ પરિણામ હોય તોજ તે જીવો અગ્નિકાય અને વાયુકાયમાં આવી રીતે ઉત્પન્ન થાય છે અને તે જીવો મનુષ્ય ગતિ બાંધતા જ ન હોવાથી મોટા ભાગે કિલષ્ટ પરિણામમાં જ પોતાનો કાળ પસાર કરે છે. એમ જ્ઞાની ભગવંતો કહે છે. આ રીતે જીવો સ્વકીય સ્થિતિમાં ભમ્યા કરે છે. પર્યાપ્તિ-૪, આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ. ઉત્પત્તિના પહેલા સમયે જે આહારને ગ્રહણ કરી પરિણાવી ખલ અને રસરૂપે પુગલોને બનાવે તે આહાર પર્યાપ્તિ કહેવાય છે. આ એક સમયની હોય છે. પછી સમયે સમયે આહાર ગ્રહણ કરતાં ખલ અને રસરૂપે પરિણાવતાં અસંખ્યાત સમય સુધી પ્રક્રિયા કરે તેનાથી શરીર પર્યાપ્તિની શક્તિ પેદા થાય છે પછી અસંખ્યાત સમય સુધી આહારના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણાવી ખલ રસરૂપે કરતો કરતો જે શક્તિ પેદા કરે છે તેનાથી ઇન્દ્રિય પર્યાપ્તિની શક્તિ પેદા થાય છે ત્યાર પછી અસંખ્યાત સમય સુધી આહારના પુગલોને ગ્રહણ કરી ખલ અને રસરૂપે પરિણામ પમાડી શ્વાસોચ્છવાસ પર્યામિની શક્તિ પેદા કરે છે. આ રીતે ચાર પર્યાપ્તિ થાય છે. પ્રાણ-૪. આયુષ્ય, કાયબલ, સ્પર્શેન્દ્રિય અને શ્વાસોચ્છવાસ પ્રાણ. જે સ્થાનમાં મરણ પામી બાદર પર્યાપ્તા વાયુકાય રૂપે ઉત્પન્ન થવાના હોય તેના આયુષ્યનો ઉદય થાય ત્યારથી આયુષ્ય પ્રાણ ચાલુ થાય છે. શરીર પર્યાપ્તિથી પર્યાપ્તા થાય એટલે કાયબલ પ્રાણ પેદા થાય છે, જેનાથી જગતમાં રહેલા ઔદારિક ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદગલોને ગ્રહણ કરી પરિણમાવી એટલે શરીર રૂપે પરિણમાવી વિસર્જન કરવાની શક્તિ પેદા થાય તે કાયબલ. ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યારે સ્પર્શેન્દ્રિય પ્રાણ પેદા થાય છે. તેનાથી જે પુદ્ગલો ગ્રહણ કરાય છે તેમાં આઠ સ્પર્શમાંથી અનુકૂળ સ્પર્શ વાળા પુદ્ગલોમાં રાજીપો અને પ્રતિકૂળ સ્પર્શ વાળા પુદ્ગલોમાં નારાજી કરતો કરતો કર્મબંધ થયા કરે છે. ત્યાર પછી સમયે સમયે આહારના પુદ્ગલોને ગ્રહણ કરતો પરિણામ પમાડતો જે શક્તિ પેદા કરે છે તેનાથી જગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી શ્વાસઉચ્છવાસ રૂપે પરિણમાવી નિઃશ્વાસ રૂપે વિસર્જન કરવાની શક્તિ પેદા કરે તે શ્વાસોચ્છવાસ પ્રાણ કહેવાય છે. જ્યાં સુધી જેટલું આયુષ્ય હોય ત્યાં સુધી આ જીવો આહાર આદિના પુદ્ગલોથી શક્તિઓ પેદા કરી સંજ્ઞાઓને સતેજ કરતા કરતા કર્મબંધ કરીને સંસાર વધારતા જાય છે. યોનિ-આ જીવોની ચારે પ્રકારના ભેદોની સમુદાય ગત સાત લાખ જીવાયોનિ હોય છે. તેમાં ૫ વર્ણ X ૨ ગંધ X પાંચ રસ X ૮ સ્પર્શ x પાંચ સંસ્થાન = બે હજાર ભેદ થાય છે એ બે હજારને સાત લાખ સાથે ભાગાકાર કરીએ તો ૩૫૦ નો આંક આવે. એ ૩૫૦ વાયુકાય જીવોના ભેદો એટલે પ્રકારો હોય છે. એ ૩૫૦ ભેદોમાં એક એક ભેદને વિષે બબ્બે હજાર બબ્બે હજાર ઉત્પત્તિ સ્થાનો હોય છે. એટલે એકવાર અનુબંધ બાંધીને જીવ વાયકામાં જાય અને ત્યાં જન્મ મરણ કરે તો એક ભેદમાં બે હજાર વાર જન્મ મરણ કરી પૂર્ણ થાય ત્યારે બીજાભેદ રૂપે ઉત્પન્ન થાય ત્યાં બે હજાર વાર જન્મ મરણ કરે ત્યાંથી ત્રીજા ભેદરૂપે Page 38 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy