________________
દેવગતિ નાં ૧૯૮ ભેદોનું વર્ણન
દેવો મુખ્ય પાંચ પ્રકારે હોય છે.
(૧) નરદેવ = ચક્રવર્તી (૨) દ્રવ્યદેવ = જે જીવોએ દેવ આયુષ્ય બાંધેલું હોય તે. (૩) ભાવદેવ = દેવાયુષ્યનો ભોગવટો કરતાં હોય તે. (૪) ધર્મદેવ = આચાર્યાદિ સદ્ગુરૂઓ હોય તે. (૫) દેવાધિ દેવ = તીર્થંકર પરમાત્માઓ.
આ પાંચમાંથી અહીં ભાવ દેવનો અધિકાર છે. ભાવદેવ-ચાર પ્રકારના હોય છે. (૧) ભવનપતિ (૨) વ્યંતર (૩) જ્યોતિષ અને (૪) વૈમાનિક દેવો.
ભવનપતિ દેવોનું વર્ણન
આ દેવો ભવનોમાં રહે છે અને ક્રીડામાં રહેતા હોવાથી કુમાર કહેવાય છે. તે દશ ભેટવાળા છે. (૧) અસુર કુમાર (૨) નાગ કુમાર (૩) સુવર્ણ કુમાર (૪) વિદ્યુત કુમાર (૫) અગ્નિ કુમાર (૬) દ્વીપ કુમાર (૭) ઉદધિ કુમાર (૮) દિશી કુમાર (૯) વાયુ કુમાર (૧૦) સ્વનિત કુમાર,
આ દશે પ્રકારના દેવો રત્નપ્રભા પૃથ્વી એકલાખ અને એંશી હજાર જાડાઇવાળી છે. એક રાજ પહોળી છે. તેમાં એક હજાર યોજન ઉપરના અને નીચેના એક હજાર યોજન છોડીને વચલા એકલાખ ઇદ્યોતેર હજાર યોજનને વિષે પહેલી નારકીના તેર પ્રતરો આવેલા છે તેનાં વચલાં આંતરા બાર થાય છે. તે બાર આંતરાના ઉપરનો એક અને નીચેનો એક એમ બે આંતરા છોડીને વચલા દશ આંતરામાં એક એક ભવનપતિ નિકાયના દેવોના આવાસો આવેલા હોય છે. જેમકે રત્નપ્રભા પૃથ્વીના એક હજાર યોજન છોડીને શરૂઆત થાય તેમાં પહેલી નારકીનો પહેલો પ્રતર આવે પછી વચમાં પહેલું આંતરું આવે તે ખાલી છે તે આંતરાનો ભાગ પૂર્ણ થાય એટલે પહેલી નારકીનો બીજો પ્રતર આવે તે પૂર્ણ થાય એટલે બીજું આંતરું આવે. આ આંતરામાં ભવનપતિના અસુરકુમાર દેવોના આવાસો અસંખ્ય આવેલા છે. ત્યાર પછી પહેલી નારકીનો ત્રીજો પ્રતર આવે તે પૂર્ણ થાય ત્યારે પહેલી નારકીનો ત્રીજો આંતરો આવે. આ આંતરામાં ભવનપતિના બીજા દેવોના એટલેકે નાગ કુમારના દેવોના આવાસો આવેલા છે. ત્યાર પછી પહેલી નારકીનો ચોથો પ્રતર આવે છે તે પ્રતર પૂર્ણ થાય ત્યારે ચોથો આંતરો આવે છે. આ આતરામાં ભવનપતિના ત્રીજા સુવર્ણકુમાર નામના દેવોના આવાસો આવેલા છે. ત્યાર પછી પહેલી નારકીનો પાંચમો પ્રતર આવેલો છે. તે પૂર્ણ થાય ત્યારે ભવનપતિના ચોથા વિદ્યુતકુમાર દેવોના આવાસો આવેલા છે તેના પછી પહેલી નારકીનો છઠ્ઠો પ્રતર આવે છે તે પૂર્ણ થયે છઠ્ઠો આંરો આવે છે તેમાં ભવનપતિના પાંચમા અગ્નિકુમાર દેવોના આવાસો છે. તે પૂર્ણ થયે પહેલી નારકીનો સાતમો પ્રતર આવે છે. તે પૂર્ણ થયે સાતમો આંતરો આવે છે. તેમાં ભવનપતિના છઠ્ઠા દ્વીપ કુમાર દેવોના આવાસો આવેલા છે તેના પછી પહેલી નારકીનો આઠમો પ્રતર આવે છે. તે પૂર્ણ થયે આઠમો આંતરો આવે છે. તેમાં સાતમા ભવનપતિના
Page 170 of 234