________________
ઉદધિકુમારના આવાસો આવેલા છે. તે પૂર્ણ થયે પહેલી નારકીનો નવમો પ્રતર આવે છે. તે પૂર્ણ થયે નવમો આંતરો આવે છે. તેમાં ભવનપતિના આઠમાં દિશીકુમાર દેવોના આવાસો આવેલા છે. ત્યાર પછી પહેલી નારકીનો દશમો પ્રતર આવે છે તે પૂર્ણ થયે દશમો આંતરો આવે છે તેમાં ભવનપતિના નવમા વાયુ કુમાર દેવોના આવાસો આવેલા છે. ત્યાર પછી પહેલી નારકીનો અગ્યારમો પ્રતર આવે તે પૂર્ણ થયે અગ્યારમો આંતરો આવે છે. તેમાં દશમા ભવનપતિના સ્વનિત કુમારના આવાસો આવેલા છે. તેના પછી પહેલી નારકીનો બારમા પ્રતર આવે છે. તે પૂર્ણ થયે બારમો આંતરો આવે છે. તે બારમો આંતરો ખાલી હોય છે. તે પૂર્ણ થયે પહેલી નારકીનો તેરમો પ્રતર આવે છે. તેમાં એટલે દરેક નારકીના પ્રતરોમાં નરકાવાસો રહેલા હોય છે. તે તેરમા પ્રતરનો ભાગપૂર્ણ થયે એક હજાર યોજન સુધી પૃથ્વી રહેલી હોય છે. આ રીતે ભવનપતિ દેવોના આવાસો આવેલા હોય છે.
આ ભવનો નાનામાં નાના એટલે જઘન્યથી એકલાખ યોજનનાં હોય છે એટલે જંબુદ્વીપના માપ જેટલા હોય અને ઉત્કૃષ્ટથી અસંખ્ય યોજનાનાં હોય છે.
ઇન્દ્રના પરિવારમાં પોતા સાથે ગણતાં દરેક ઇન્દ્રોને દશ પ્રકારનાં દેવો હોય છે. (૧) ઇન્દ્ર- દેવલોકનો સ્વામી હોય તે. (૨) સામાનિક દેવો- સ્વામી પણાના અધિકાર સિવાય કાત્તિ અને વૈભવ વગેરેમાં ઇન્દ્ર સરખાં જ હોય છે. આ સામાનિક દેવો ચમરેન્દ્ર જે દક્ષિણ દિશા બાજુનો ઇન્દ્ર છે. તેમને ૬૪CO૦ દેવો હોય છે. અને ઉત્તર દિશા બાજુની બલીન્દ્ર જે ઇન્દ્ર છે તેમને ૬0000 સામાનિક દેવો હોય છે. બાકીના ૧૮ ઇન્દ્રોને છ છ હજાર સામાનિક દેવો હોય છે. (૩) આત્મરક્ષક દેવો- ઇન્દ્રના બોડી ગાર્ડ- રક્ષક. ઇન્દ્ર સમર્થ છે પણ આ દેવો સભામાં ખુલ્લા હથીયારે ઇન્દ્રની ચારે તરફ રહે છે. સામાનિક દેવોથી ચારગણા અધિક હોય છે. (૪) ત્રાય ત્રિશક દેવો- મંત્રી જેવા, રાજગોર અને પુરોહિતનું કામ પણ કરે છે. ભવનોની અને દેવોની ચિંતા કરનાર અને શાંતિક પૌષ્ટિક કર્મ કરનારા હોય છે. દરેક ઇન્દ્રોને તેત્રીશ હોય છે. (૫) પર્ષદા- ઇન્દ્રના મિત્ર સરખા દેવો તેમની બાહ્ય-મધ્યમ અને અત્યંતર એમ ત્રણ પ્રકારની સભાઓ હોય છે. (૬) લોકપાળ- અમુક વિભાગનું રક્ષણ કરનાર લોકપાલોને પણ ત્રણ પ્રકારની પર્ષદા હોય છે તે સોમ, યમ, વરૂણ અને કુબેર આ ચાર નામના ચાર લોકપાળ દરેક ઇન્દ્રને હોય છે. (૭) અનિક સેના- તે સાત પ્રકારની. તેના અધિપતિઓ તે સેનાધિપતિ સાથે હોય છે. સાત સેનાના નામો- ગન્ધર્વ, નાટ્ય, અશ્વ, ગજ, મહિષ (વૈમાનિક દેવોન વૃષભ હોય છે) રથ અને પાયદલ. બે સૈન્ય ઉપભોગના કામમાં અને બાકીના સંગ્રામમાં કામમાં આવે છે. (૮) આભિયોગિકનોકર, ચાકર, સેવક જેવા અસંખ્ય હોય છે. (૯) કિલ્બિષીક-ભંગી, ચંડાલ જેવા સાફ સુફ કરવાવાળા અસંખ્ય છે. (૧૦) પ્રકાર્ણ- પૂજા તરીકેના દેવ, દેવીઓ અસંખ્ય હોય છે. આ પ્રમાણે દરેક ઇન્દ્રોને આ દશ પ્રકારવાળા દેવો હોય છે. અસુરેન્દ્રની રાજધાની ૩૬ યોજન ઉંચી હોય છે.
આ ભવનપતિ દેવોનાં શરીરની ઉંચાઇ જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી ઉત્કૃષ્ટથી સાત હાથની હોય છે.
આયુષ્ય- જધન્ય દશ હજાર વરસ. ઉત્કૃષ્ટ- ૧ સાગરોપમથી અધિક સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ- ૬ હોય છે. પ્રાણો- ૧૦ હોય છે. યોનિ- સર્વદેવોને આશ્રયીને ૪લાખ યોનિ હોય છે. દેવ મરીને દેવ થતા ન
Page 171 of 234