________________
મરણની અવસ્થામાં પણ રૂચિકર નહિ થાય ! એવી અવસ્થાઓમાં પણ એ બીચારાઓ નીચકર્મ કરી કરીને દયાપાત્ર દુઃખદશા ભોગવશે તેની હા, પણ નીચકર્મોથી પરાડમુખ થવાની વાત કોઈ પણ રીતિએ તેઓના ગળે નહિ ઉતરે ! એવા હણાચારી અને હીણકર્મિ આત્માઓનું દાસત્વ કદી પણ ન મટે અને જીવનભર એવાઓ દુઃખ, દારિદ્રય અને દર્ભાગ્યના દાવાનળમાં સળગ્યા કરે એમાં આશ્ચર્ય પણ શું છે? અને કદાચ પૂર્વ પુણ્યના પ્રતાપે એવા આત્માઓ વર્તમાનમાં સુખી પણ દેખાતા હોય તે છતાં પણ તે આત્માઓ ભવિષ્યમાં અવશ્ય દુઃખી, દુઃખી અને દુ:ખીજ થવાના એમ માનવામાં હરકત પણ શી છે?
સભામાંથી-કશીજ નહિ.
કારણ કે-જે આત્માઓ, આર્યવંશમાં ઉત્પન્ન થવા છતાં પણ સ્વચ્છંદી બની આપ્તપુરૂષો કે- જેઓએ વિશ્વના કલ્યાણ માટે એકાંત હિતકર મોક્ષ માર્ગ ઉપદેશ્યો છે અને વર્તમાનમાં ઉપદેશે છે તેઓની આજ્ઞાથી ઉપરવટ થાય છે એટલું જ નહિ પણ એવી કલ્યાણકારી આજ્ઞા અને એ આજ્ઞાને અનુસાર ચાલતા સર્વોત્તમ માર્ગનો નાશ કરીને યથેચ્છ મ્હાલવામાંજ રાચે છે તેઓ સન્માર્ગના નિષ્કારણ વૈરિ હોવાના કારણે ભવિષ્યમાં દુઃખી, દુઃખી અને દુઃખી થાય એમાં કશુંજ નવું નથી. ત્રણે અવસ્થાની નિર્લજ્જતા :
અનાર્યતા ની દુઃખદ દશાનું વર્ણન કર્યા બાદ કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા, જે આત્માઓએ મનુષ્યભવ પામવા પૂર્વે પણ ઉત્તમ ધર્મની આરાધના નથી કરી અને પામ્યા પછી પણ જેઓને ઉત્તમ સામગ્રી મળી નથી અથવા તો મળવા છતાં પણ ઉત્તમ સામગ્રીની જે આત્માઓ ઉપર ઉત્તમ અસર નથી થઈ શકી તે આત્માઓની ત્રણે અવસ્થાની નિર્લજ્જ કારવાઇનું વર્ણન કરતાં ફરમાવે છે કે
વીજે મઝાર પાડ્યાં, રૌવને રded: /
વાદ્ધ શ્વIRRORIોનો નાતુ ન ખિતે //// બાલ્ય અવસ્થામાં મૂત્ર અને વિષ્ટાએ કરીને જીવન પૂર્ણ કરે છે, યૌવન અવસ્થામાં રત ચેષ્ટિતો દ્વારા જીવન પૂર્ણ કરે છે અને વૃદ્ધાવસ્થામાં શ્વાસ અને કાસ આદિથી જીવન પૂર્ણ કરે છે. આ પ્રકારે
પસાર થતી અવસ્થાઓ પરિપૂર્ણ રીતિએ લજજાનું સ્થાન હોવા છતાં પણ મનુષ્યજન્મની મહત્તાને નહિ સમજી શકનાર મનુષ્ય, બાલ્યકાલમાં મૂત્ર અને વિષ્ટા સાથે ખેલવામાં-યૌવનકાલમાં કામક્રીડાઓ કરતાં અને વૃદ્ધકાલમાં શ્વાસ અને કાસ આદિથી રીબાવા છતાં પણ લજ્જાને પામતો નથી. એવી કારમી નિર્લજ્જતા અજ્ઞાન મનુષ્યમાં આવે છે. એ કારમી નિર્લજ્જતાના કારણે જે રીતિએ બાલ્ય અવસ્થામાં મૂત્ર અને વિષ્ટા સાથે નિર્લજ્જ પણે ખેલે છે તેજ રીતિએ યૌવન અવસ્થામાં કામની ચેષ્ટાઓ કરવાને પ્રવર્તે છે અને એજ કારણે વદ્ધાવસ્થામાં શ્વાસ અને કાસ આદિ ભયંકર રોગાવસ્થાઓ પણ નિર્લજપણે ભોગવવી પડે છે. પુરૂષપણાનું કારમું લીલામ :
એજ કારણે એવા નિર્લજજ આત્માઓ, કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે- પુરૂષરૂપે હોવા છતાં કોઈ પણ અવસ્થામાં પુરૂષ તરીકે રહી શકતા નથી અર્થાત્ પુરૂષપણાનું લીલામ કરે છે; કારણ કે
Page 165 of 24