SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માઓની એવી દુર્દશાનું વર્ણન કરતાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે "परसम्पत्प्रकणा-प्रकण स्वसम्पदाम् । રણI I, Mવત્તિ માનવI: //// of IRRUltતા, નવ@do¢ોdd., તાં તાં :વાં ઢીના: પપજો યાWદ્રશ્ન ////' પરની સમ્પત્તિ પ્રકર્ષવાળી અને પોતાની સંપત્તિ અપ્રકર્ષવાળી હોવાના કારણે પરના શ્રેષ્યપણાથી દગ્ધ થઇ ગયેલા એવા મનુષ્યો દુઃખપૂર્વક જીવે છેઃ રોગ, જરા અને મરણ કરીને ગ્રસ્ત થયેલા તથા નીચ કર્મોએ કરીને કદર્શિત થયેલા એજ કારણે દીન બની ગએલા એવા મનુષ્યો તે તે દયાપાત્ર દીનદશાને પામ છે. આ ઉપરથી સમજી શકાશે કે-આર્યદેશમાં અને આર્યવંશમાં ઉત્પન્ન થવા છતાં પણ કુસંસર્ગ અથવા તો સ્વચ્છેદવૃત્તિના પ્રતાપે આર્યતાને નહિ પામી શકેલ અથવા તો ઘોર પાપકર્મ આત્માઓની દશા આ સંસારમાં ઘણીજ દયાપાત્ર હોય છે. એવી જ રીતિએ જે આત્માઓ, વિષયકષાયમાં રક્ત હોય છે અને મોહથી મુગ્ધ હોય છે તે આત્માઓ પ્રાપ્ત માનવભવની કેવી કદર્થના કરે છે એ વિગેરેનું વર્ણન કરતાં એજ સૂરિપુરંદર શું શું ફરમાવે છે તે હવે પછી મનુષ્યભવને પામવા છતાં પણ મનુષ્યભવની મહત્તાના અનંતજ્ઞાની શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા હેતુને નહિ સમજી શક્તાર અજ્ઞાન મનુષ્યની દુખદ દુર્દશાનું દિગદર્શન - પૂર્વ સ્મૃતિ - સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજા, સંસારવર્તિ પ્રાણીઓને સસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી ધૂત નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના આ બીજા સૂત્ર દ્વારા કર્મવિપાકની ગરિષ્ઠતા વર્ણવવા ઇચ્છે છે. એ પરમર્ષિએ વર્ણવલી કર્મવિપાકની ગરિષ્ઠતા સહેલાઇથી સમજી શકાય એ હેતુથી ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા, કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરતા આ સૂત્રની વ્યાખ્યા કરવા પૂર્વે સંસારની ૧- નરક, ૨-બીજી તિર્યંચ, ૩-ત્રીજી મનુષ્ય અને ૪-ચોથી ટેવ. આ ચારે ગતિની યોનિની સંખ્યા, કુલકોટિની સંખ્યા અને વેદનાઓનું વર્ણન કરી રહ્યા છે. એ ચારેય ગતિની યોનિની સંખ્યા આદિનું વર્ણન કરતાં પ્રથમ નરકગતિની યોનિ અને કુલકોટિની સંખ્યા, એ ગતિની ઉત્કૃષ્ટ સ્થિતિ અને એ ગતિમાં પડેલા જીવોની વેદનાના પ્રકાર દર્શાવવા સાથે એ જીવોને ભોગવવી પડતી વચનાતીત વેદનાઓનો સહજ ખ્યાલ છે શ્લોકો દ્વારા આપ્યો : તે પછી તિર્યંચ ગતિના પ્રકારો અને તે પ્રકારોની યોનિની સંખ્યા અને કુલકોટિની સંખ્યાના પ્રતિપાદન સાથે તે જીવોને પણ ભોગવવી પડતી Page 163 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy