SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. પાંચમો પ્લીહોદર ૬. છઠ્ઠો ‘બદ્રુગુદ’ ૭. સાતમો આગંતુક અને ૮. આઠમો જલોદર આ પ્રમાણે તે આઠ ભેદો થાય છે. १० तथा मूयं ‘પારા ગૂર્ય 7 ની વ્યાખ્યા કરતાં ફરમાવે છે કે “ तथा - पास मूयं च ति पश्य - अवधारय मुकं मन्मनभाषिणं वा, गर्भ दोपादेव जातं तदुत्तरकालं च, पझ्चषष्ठिर्मुखे रोगाः सप्तस्वायतनेषु जायन्ते, तत्रायतनानि औष्टौ दन्तमूलानि दन्ता जिह्वा तालुकण्ठः सर्वाणि चेति, तत्राष्टावोष्ट्यो: पञ्चदश दन्तमूलेप्वष्टौ दन्तेषु पच जिहवायां नव तालुनि सप्तदस कण्ठे त्रयः सर्वेग्वायतनेविति' “તથા નિશ્ચિત કર કે-મૂંગો અથવા મન્મનભાષી, એ ગર્ભના દોષથીજ થાય છે અને તે પછીના કાળમાં પણ થાય છે. મુખમાં સાત સ્થાનોને વિષે થતાં રોગો એકત્રિત કરીએ, તો પાંસઠ રોગો થાય છે. મુખમાં-૧. હોઠો, ૨. દાતના મૂલો, ૩. દાંતો, ૪. જિવા, ૫. તાલુ, ૬. કંઠ અને ૭. સઘળાય. આ સાત સ્થાનો ગણાય છે. તેમાં ૧. પ્રથમ હોઠ નામના આયતનમાં આઠ રોગો થાય છે, ૨. બીજા દન્તમૂલ નામના આયતનમાં પંદર રોગો થાય છે, ૩. ત્રીજા દન્ત નામના આયતનમાં આઠ રોગો થાય છે. ૪. ચોથા જિવા નામના આયતનમાં પાંચ રોગો થાય છે. ૫. પાંચમા તાલુ નામના આયતનમાં નવ રોગો થાય છે. ૬. છઠ્ઠા, કંઠ નામના આયતનમાં સત્તર રોગો થાય છે અને ૭. સાતમા સર્વ એટલે બધાંય મળીને બનેલ આયતન માં ત્રણ રોગો થાય છે. આ રીતિએ સાતેય આયતનોના મળીને મુખમાં ૬૫ રોગો થાય છે.” ૧૧- તથા ઝૂળીય ‘ઝુળિયું જેની વ્યાખ્યા કરતાં ફ૨માવે છે કે .. “सूणियं च ति शूनत्वं श्वयथुर्वातपितश्लेष्म सन्निपातरक्तामि धातजोडयं पोढेति, उक्तं चशोफः स्यात् पडिवधो धोरो, दोषैरुत्सेधलक्षणः । વ્યસ્તે: સનટેવાપીઠ, તયા રણનિધાતન: //9}}} “સુણિયું” એટલે સોજો અને તે ૧. વાત ૨. પિત્ત, ૩. શ્લેષ્મ, ૪. સન્નિપાત, ૫. રક્ત અને ૬. અભિઘાત આ છથી ઉત્પન્ન થતો હોવાથી છ પ્રકારે છેઃ કહ્યું છે કે “રસ્તે ટ્રોજે” એટલે છૂટા છૂટા ત્રણ વાત, પિત્ત, અને કફના દોષોથી ત્રણ પ્રકારનો અને રાનરત તો' એટલે ભેગા મળેલા એ ત્રણેના દોષથી ચોથો તથા રક્ત થી પાંચમો અને અભિઘાત થી છઠ્ઠો એમ છ પ્રકારે ઉત્પન્ન થતો ઉંચાઇ છે સ્વરૂપ જેનું એવો ભયંકર સોજો છ પ્રકારનો થાય છે. ૧૨- તથા આભારિ 66 ગિલાસણિ ની વ્યાખ્યા કરતા ફરમાવે છે કે “ तथा गिलासणि ति भस्मको व्याधि, स च वातपित्तोत्कटतया श्लेष्मनूनतयोपजायत " sd" “તથા ગિલાસણી એટલે ભસ્મક નામનો વ્યાધિ એ વ્યાધિ, વાત અને પિત્ત ની ઉત્કટતાથી અને શ્લેષ્મ ની ન્યૂનતાથી ઉત્પન્ન થાય છે.’’ Page 155 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy