________________
છ પર્યાપ્તિઓ હોય છે. આ અપર્યાપ્તા જીવો જે કહેવાય છે તે અપર્યાપ્તા અવસ્થાની અપેક્ષો કહેવાય છે. પણ અધુરી પર્યાપ્તિએ મરણ પામે એ અપેક્ષો અપર્યાપ્તા ગણાતા નથી. આથી જે જીવો જેટલી પર્યાપ્તિ પૂર્ણ કરીને રહેલા હોય અને આગળ પર્યાપ્તિ કરતા હોય પણ સંપૂર્ણ પર્યાપ્તિ પૂર્ણ થયેલ નથી ત્યાં સુધી અપર્યાપ્તા કહેવાય છે. માટે આ જીવોને કરણ અપર્યાપ્તા જીવો કહેવાય છે.
કર્મભૂમિના ૧૫ ગર્ભજ અપર્યાપ્તા જીવોને વિષે
છ પર્યાપ્તિઓ હોય છે તેમાં છઠ્ઠી મન પર્યાપ્તિ અવશ્ય અધુરીએ મરણ પામે છે. આથી આ જીવોને દશમો મનબલ પ્રાણ અવશ્ય અધુરો રહે છે. આ જીવો ઇન્દ્રિય પર્યાપ્ત પૂર્ણ થયે અથવા શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થયે અથવા ભાષા પર્યાપ્તિ પૂર્ણ થયે પરભવનું આયુષ્ય બાંધી શકે છે અને મનપર્યાપ્ત શરૂ કરીને પછી અવશ્ય મરણ પામે છે તે ગર્ભજ અપર્યાપ્તા કહેવાય છે.
૧૦૧ ગર્ભજ પર્યાપ્તા જીવો
પયાપ્તિઓ છ એ હોય છે. ઉત્પત્તિના પહેલા સમયે આહારના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણમાવી રસવાળા પુદ્ગલોનો સંગ્રહ કરે તે આહાર પર્યામિ કહેવાય છે. અસંખ્યાત સમય પછી આહારના પુદ્ગલોમાંથી રસવાળા પુદ્ગલોનો સંગ્રહ થાય તે શરીર પર્યાપ્તિ કહેવાય છે. ત્યાર પછી અસંખ્યાત સમય સુધી આહારના પુદ્ગલોને ગ્રહણ કરતો જે શક્તિ પેદા કરે તે ઇન્દ્રિય પર્યાપ્તિ. ત્યાર પછી અસંખ્યાતા સમયો સુધી આહારના પુદ્ગલોને ગ્રહણ કરી જે શક્તિ પેદા કરે છે તેનાથી શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ થાય છે. ત્યાર પછી અસંખ્યાત સમય સુધી આહારના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણમાવીને જે શક્તિ પેદા કરે છે. તેનાથી જગતમાં રહેલા ભાષા વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણમાવવાની શક્તિ પેદા થાય છે તે ભાષા પર્યાપ્ત કહેવાય છે. ત્યાર પછી અસંખ્યાત સમય સુધી આહારના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણમાવી જે શક્તિ પેદા થાય છે તેનાથી જગતમાં રહેલા મન વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી મન રૂપે એટલે વિચાર રૂપે પરિણમાવી વિસર્જન કરવાની શક્તિ પેદા થાય છે તે મન પર્યાપ્ત કહેવાય છે. આ છ પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા બાદ પોતાનું આયુષ્ય જેટલું હોય તે પ્રમાણે તે સમયે સમયે આહારના પુદ્ગલોને ગ્રહણ કરી, પરિણમાવી, સાથે સાથે ઔદારિક ગ્રહણ યોગ્ય વર્ગણાનાશ્વાસોચ્છવાસ ગ્રહણ યોગ્ય વર્ગણાના-ભાષા ગ્રહણ યોગ્ય વર્ગણાના-મન ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરતો પરિણમાવતો પોતાનું જીવન જીવતો જાય છે અને સાથે સાથે કાર્મણ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી સાત કર્મરૂપે પરિણામ પમાડતો જાય છે અને એક અંતર્મુહૂર્ત આઠ કર્મનો બંધ કરે છે.
જ્ઞાની ભગવંતા કહે છે કે જેમ સમુચ્છિમ મનુષ્યોનાં અનુબંધરૂપે સાત-સાત ભવ કરતાં કરતાં અસંખ્યાતા ભવો એટલે અસંખ્યાતી વાર જન્મ મરણ કરતાં ભમ્યા કરે છે. એવી જ રીતે ગર્ભજ મનુષ્યોનાં પણ ગર્ભમાંને ગર્ભમાંજ એક એક અંતર્મુહૂર્તના આયુષ્યવાળા સાત-સાત ભવો કરતાં કરતાં અસંખ્યાતી ઉત્સરપિણી અને અસંખ્યાતી અવસરપિણી કાળ સુધી જીવો ફર્યા કરે છે. તેમાં બે હજાર સાગરોપમ કાળ પૂર્ણ થાય એટલે વચમાં વચમાં એકેન્દ્રિયના ભવમાં જઇ આવે છે શા કારણથી પરિભ્રમણ કર્યા કરે ?
જ્ઞાનીઓ કહે છે કે માતા-પિતા,પતી-પત્ની, દિકરા-દિકરી, સ્નેહી-સંબંધીનો રાગ રાખીને દેવ-ગુરૂધર્મની આરાધના કરવામાં આવે તેમાં એકેન્દ્રિયમાં જવા લાયક કર્મ બંધાય છે. તેમજ સંસારના પદાર્થો પ્રત્યેનો રાગ રાખીને અને તે પદાર્થો મેળવવા-વધારવા-ટકાવવા અને ન ચાલ્યા જાય તેની કાળજી રાખી જીવન જીવવા Page 141 of 234