________________
નાખે તેમ તે બીચારાઓને પીસી નાખે છે : પીપાસા એટલે તૃષા તેનાથી પીડાતા તે ગરીબડાઓને તપાવેલા ત્રપુ અને સીસાને વહન કરનારી “વૈતરણી' નામની નદીમાં ઉતારે છે.
વળી તાપથી ગભરાઇને છાયા મેળવવાની અભિલાષાથી તે બીચારાઓ એકદમ અસિપત્ર વનમાં દોડી જાય છે, પણ ત્યાં પડતાં પત્રરૂપ શસ્ત્રોદ્વારા તે બીચારાઓના અનેકવાર તલ તલ જેટલા ટુકડા થઇ જાય છે.
વધુમાં તે અસુરો, પરસ્ત્રીલંપટતાના પ્રતાપે નરકમાં ઉત્પન્ન થયેલાઓને અન્યવધુ રક્તતા યાદ કરાવી કરાવીને વજકંટકોથી વ્યાપ્ત એવી શાલ્મલીઓ સાથે આલિંગન કરાવે છે અને કોઈ સ્થળે તપાવેલી લોઢાની પુતળીઓ સાથે આલિંગન કરાવે છે : માંસલોલુપતાના પ્રતાપે નરકમાં ઉત્પન્ન થયેલાઓને માંસલોલુપતાનું સ્મરણ કરાવીને તેમના પોતાનાજ અંગથી ઉત્પન્ન થયેલા માંસને ખવડાવે છે : મધુની લોલુપતાના પ્રતાપે નરકમાં ઉત્પન્ન થયેલાઓને મધુની લોલુપતાનું ખુબ ખુબ કથન કરીને તપાવેલા ત્રપાથી શીક્ષા કરે છે.
આ રીતિએ બ્રાઝ, કન્દુ, મહાલ અને કલ્પીપાક આદિની વેદનાઓનો અવિશ્રાન્તપણે અનુભવ કરાવે અને ભાટત્રની માફક તેઓને મુંજે છે.
અને પ્રથમ છિન્ન ભિન્ન થઈ ગયું છે શરીર જેઓનું અને તે પછી ફરીથી આખું થઈ ગયું છે શરીર જેઓનું એવા તે નારકી જીવોનાં નેત્ર આદિ જે અંગો તેને બક અને કંક આદિ પક્ષીઓ ખેંચી કાઢે છે.
આ પ્રમાણે મહા દુઃખોથી હણાઇ ગયેલા અને સુખના એક અંશથી પણ રહિત એવા તે બીચારાઓ, બહુ કાલ એટલે તેત્રીસ સાગરોપમ જેટલા દીર્ધ કાલને નરકગતિમાં પસાર કરે છે. અતિ આસક્તિનું પરિણામ :
આ વર્ણન ઉપરથી તમે સમજી શકશો કે- ‘નરકમાં પડેલા જીવોને ક્ષેત્રની પીડા અને પરસ્પરના યુદ્ધથી ઉત્પન્ન થતી પીડા એના કરતાં પરમધામિક અસુરોદ્વારા થતી પીડા પણ કાંઇ સામાન્ય નથી હોતી.'
ગાઢ વિષયાસક્તિમાં પડેલા આત્માઓએ આ વસ્તુ બહુજ વિચારવા જેવી છે. ગાઢ વિષયાસક્તિના પ્રતાપે આત્મા આત્મભાન ભૂલી જાય છે અને અતિશય અસંતોષી બને છે. પોતાના એ અપરિમિત અસંતોષને સંતોષવા માટે એ આત્માઓ પછી પાપ કરતાં પાછું વાળીને જોતાંજ નથી. ગાઢ આસક્તિના પ્રતાપે આત્મભાન ભૂલીને અસંતોષી બનેલા આત્માઓ અભક્ષ્યના ભક્ષણમાં, અપેયના પાનમાં, અગમ્યગમનમાં અને અનાચરણીય આચરણાઓમાં નિરંકુશપણે વર્તે છે. એ નિરંકુશ વર્તનની આડે આવનારા સઘળાજ તેઓને મન પોતાના દુશ્મન લાગે છે અને જે કોઇ એ નિરંકુશ વર્તનને પોષનારા હોય, ખીલવનારા હોય અને ‘ઇચ્છા મુજબ વર્તો' એમ કહીને ઉત્તેજન આપનારા હોય, તેઓ જ તેમને મન મિત્ર સમા ભાસે છે. એના પરિણામે સાચી આસ્તિક્તા ભાગવા માંડે છે અને નાસ્તિક્તા છૂપી રીતે સ્થાન પામે છે. એ છૂપી નાસ્તિક્તાના પ્રતાપે તેઓને મુક્તિ તો હંબગજ ભાસે છે, પુણ્ય પાપના વિચારો કાલ્પનિક લાગે છે, આત્માના અસ્તિત્વમાં પણ
Page 110 of 234